મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 16, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઇ ગઇ

     જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે બપોરે ચેરમેન સુભાષભાઇ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં કમિટીએ ૬૮૨ લાખના કામો અને ખર્ચને મંજુરી આપી છે. આ બેઠકમાં ડે. મેયર કરશન કરમૂર, કમિશનર સતિષ પટેલ, કમિટીના સભ્યો સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.       આ બેઠકમાં એલઇડી લાઇટ, વિવિધ વિસ્તારોમાં સિમેન્ટના બ્લોક, મધ્યાન ભોજન યોજના માટે પાંચ નાના વાહનો ખરીદી, પેન્શનર મંડળ તથા કોર્પોરેશન કર્મચારીઓની સોસાયટી માટે જગ્યાની ફાળવણી, આવાસ યોજનાઓમાં નળ જોડાણ માટે ડીપોઝીટમાંથી મુકિત, દિગ્જામ સર્કલ બાજુ ૭૪ લાખના ખર્ચે એપ્રોચ રોડ, શહેરના તમામ પાણીના ટાંકાઓમાં મેન્ટનેન્સના કામ, કેટલાક વોર્ડમાં ગટરના કામ, સિવિલના કામો, હોર્ડીગ્સ માટેની મંજૂરીઓ, બગીચાઓમાં સમારકામ તથા કોર્પોરેશનમાં કરાર આધારિત કર્મચારીઓની નોકરીની મુદતમાં વધારો વગેરે નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

કાશી વિશ્વનાથ મંદિરમાં દિપમાળાના દર્શન

     છોટીકાશી જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પુરૂષોતમ માસ નિમિતે ગુરૂવારે ૨૧૫૧ દિપમાળાના દર્શનનું આયોજન સાંજે ૬:૪૫ વાગ્ય યોજવામાં આવેલુ. આ દિપમાળા મોટા કળશની અંદર સ્વતિક અને શુભ લાભના સ્વરૂપમાં ગોઠવવામાં આવી હતી. તેમજ મહાદેવના શિવલીંગની આજુબાજુમાં પણ દિપ ગોઠવવામાં આવેલા. જેનો સેંકડો શ્રધ્ધાળુઓએ ધર્મલાભ લીધો. આ અદભૂત નઝારો લોકો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.

બેલાની ખાણ પર દરોડો

     જામનગર એલસીબીએ જામજોધપુર તાલુકાના વિરપર ગામ નજીક ગેરકાયદે ચાલતી પથ્થરના બેલાની ખાણપર દરોડો પાડી ૪ શખ્સોને ઝડપી લીધાં છે. આ શખ્સો લીઝ વિનાની ખાણ ચલાવતાં હતાં.      આરોપીઓના નામો: ઇમરાન ગુલમામદ સમા, ઇકબાલ તથા સમીર ગુલમામદ તેમજ સંજય હમીરભાઇ પરમાર. આ તમામ શખ્સો લાલપુરના ચોરબેડી ગામના છે. પોલીસે ૩ નંગ ચકરડી (રૂા. ૨૫૦૦૦), ટ્રેકટર (રૂા. ૩ લાખ) તથા તૈયાર બેલાં વગેરે કબજે લીધું છે.      એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, પીએસઆઇ ગોજિયા તથા સ્ટાફના ભગીરથસિંહ, હરપાલસિંહ, દિલીપભાઇ, ફીરોઝભાઇ વગેરેએ આ કામગીરી કરી હતી.

૧૦૮ની ટીમની મહેનતના કારણે મા-બાળકીનો જીવ બચ્ચો

     ગુરૂવારે બપોરે ૪:૩૦ વાગ્યે કાનાલુસ રેલવે પુલ પર કામ કરતાં શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર (ઉં.૨૧) ને અધૂરા મહિને પ્રસૂતિ પિડા થઇ. મોટીખાવડીથી ૧૦૮ ની ટીમ બનાવના સ્થળે પહોંચી. સ્ટેશન પર માલગાડી હોય ૧૦૮ના સ્ટાફે દોઢ કિ.મી. ચાલી દર્દી પાસે પહોંચવું પડયું. દર્દીને સ્ટે્રચરમાં ૧૦૮ સુધી લાવ્યા. પ્રસૂતાને દુ:ખાવો વધતાં ૧૦૮ માં પ્રસૂતિ કરાવવામાં આવી. ૧૦૮ના ઇએમટી રસીલાબા તથા પાઇલોટ (ડ્રાઇવર) ધર્મેશભાઇની જહેમતના કારણે આ શ્રમિક મહિલા તથા બાળકીનો જીવ બચ્ચો. બાદમાં મહિલા તથા અધૂરાં માસે જન્મેલી બાળકીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  

તળાવમાં ઉપરાઉપરી આપઘાત

     જામનગરના તળાવમાં નવું પાણી આવ્યા પછી આપઘાતની સંખ્યા વધી છે. છેલ્લા એક મહિનામાં તળાવમાંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે.      ગુરૂવારે સવારે પ્લોટ પોલીસ ચોકીના સામેના ભાગમાં અંદાજે વીસેક વર્ષના યુવાનનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો. પ્રમાણી ટાઉનશિપમાં રહેતાં રાજેશભાઇ ગોવિંદભાઇ સોલંકીના પુત્ર કૃણાલએ આત્મહત્યા કરી હોવાનું જાહેર થયું છે. ફાયર કર્મીઓએ મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પોલીસ સવિભાગને સોંપ્યો હતો.  

મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ (ઓનલાઇન)

     નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (દ્યદ્યદ્ય.નવસપ.ાન) પર વિવિધ સેવાઓ ઓનલાઇન ૧.૧.૨૦૨૦ સુધીમાં ૧૮ વર્ષ કર્યા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધાવી શકે. ફોર્મ નંબર ૬ નવા નામની નોંધણી માટે. ફોર્મ નંબર ૭: યાદીમાંથી નામ કમી કરાવવા. ફોર્મ નંબર ૮: યાદીમાં નામ તથા અન્ય વિગતોમાં ફેરફાર, સુધારા માટે ફોર્મ નંબર ૮ (ક) એક જ મતવિભાગમાં નામ એક ભાગમાંથી બીજાં ભાગમાં તબદીલ કરવા. હેલ્પ લાઇન નંબર ૧૯૫૦

શપથ લેતાં અધિકારીઓ-કર્મીઓ

     ભારત સરકારના કોરોના વિરૂધ્ધના જન આંદોલન ના ભાગરૂપે ગુરૂવારે કલેકટર કચેરી, મહાનગરપાલિકા, સ્ટેન્ડીંગ કમિટી તથા ખિજડા મંદિર ખાતે શપથ લેવાના કાર્યક્રમો યોજવામાં આવેલાં.      કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, જીહ્મછ ના અધિકારીઓ-કર્મચારીઓ તથા ખિજડા મંદિર ખાતે આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ-ભાવિકો વગેરે શપથ લીધાં હતાં.      શપથમાં માસ્ક ધારણ, સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઇઝરનો ઉપયોગ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો.  

ડીઝાસ્ટર રિસ્ક રીડકશન ડે નિમિતે કલેકટર દ્વારા અપીલ

     સમગ્ર વિશ્વમાં ઓકટોબર માસનો બીજો બુધવાર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનો પ્રેરિત આ ઉજવણી નિમિતે જામનગરમાં કલેકટર રવિશંકરે જણાવ્યું છે કે, આપતિઓને સંપૂર્ણ અટકાવી શકાતી નથી પરંતુ કાળજી, સતર્કતા રાખવાથી આફતથી થતી જાનમાલની નુકસાનીમાં આપણે થોડો ઘટાડો કરી શકીએ છીએ.      ભૂકંપ પ્રતિરોધક મકાનોનું નિર્માણ, વિવિધ વિભાગોમાં મોકડ્રીલથી જાગૃતિ, તંત્રો વચ્ચેનું સંકલન, બાળકો, યુવાનો તથા સમાજના વિવિધ લોકોને ડીઝાસ્ટર તથા જોખમો ઘટાડવા અંગેની માહિતીઓ આપવી વગેરે દ્વારા શ્રેષ્ઠ ડીઝાસ્ટર મેનેજમેન્ટ થઇ શકે છે.