સમગ્ર વિશ્વમાં ઓકટોબર માસનો બીજો બુધવાર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનો પ્રેરિત આ ઉજવણી નિમિતે જામનગરમાં કલેકટર રવિશંકરે જણાવ્યું છે કે, આપતિઓને સંપૂર્ણ અટકાવી શકાતી નથી પરંતુ કાળજી, સતર્કતા રાખવાથી આફતથી થતી જાનમાલની નુકસાનીમાં આપણે થોડો ઘટાડો કરી શકીએ છીએ.
ભૂકંપ પ્રતિરોધક મકાનોનું નિર્માણ, વિવિધ વિભાગોમાં મોકડ્રીલથી જાગૃતિ, તંત્રો વચ્ચેનું સંકલન, બાળકો, યુવાનો તથા સમાજના વિવિધ લોકોને ડીઝાસ્ટર તથા જોખમો ઘટાડવા અંગેની માહિતીઓ આપવી વગેરે દ્વારા શ્રેષ્ઠ ડીઝાસ્ટર મેનેજમેન્ટ થઇ શકે છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો