ગુરૂવારે બપોરે ૪:૩૦ વાગ્યે કાનાલુસ રેલવે પુલ પર કામ કરતાં શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર (ઉં.૨૧) ને અધૂરા મહિને પ્રસૂતિ પિડા થઇ. મોટીખાવડીથી ૧૦૮ ની ટીમ બનાવના સ્થળે પહોંચી. સ્ટેશન પર માલગાડી હોય ૧૦૮ના સ્ટાફે દોઢ કિ.મી. ચાલી દર્દી પાસે પહોંચવું પડયું. દર્દીને સ્ટે્રચરમાં ૧૦૮ સુધી લાવ્યા. પ્રસૂતાને દુ:ખાવો વધતાં ૧૦૮ માં પ્રસૂતિ કરાવવામાં આવી. ૧૦૮ના ઇએમટી રસીલાબા તથા પાઇલોટ (ડ્રાઇવર) ધર્મેશભાઇની જહેમતના કારણે આ શ્રમિક મહિલા તથા બાળકીનો જીવ બચ્ચો. બાદમાં મહિલા તથા અધૂરાં માસે જન્મેલી બાળકીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો