મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 26, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

પાવાગઢ રોપ-વે ની લંબાઇ ૭૩૯ મીટર છે. ટિકિટના દર રૂા. ૧૪૧ છે. ગિરનાર રોપ-વે ની લંબાઇ ૨૩૨૦ મીટર છે. ટિકિટના દર રૂા. ૮૨૬ છે. ૧૪ નવેમ્બર પછી ટિકિટના રૂપિયા ૭૦૦ વતા ૧૮ ટકા જીએસટી સાથે રૂપિયા ૮૨૬ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલ્યા: ભાજપા બિહારમાં કોરોના રસીની વાત કરે છે તો શું બીજાં રાજ્યો પાકિસ્તાન-બાંગ્લાદેશ માં છે?! બિહારમાં ચૂંટણી છે. અમેઝોન કંપનીને રાહત મળી છે. સિંગાપુર સ્થિત સેન્ટ્રલ કોર્ટે રિલાયન્સ તથા ફયૂચર ગ્રુપ વચ્ચેના સોદા (ડીલ) પર સ્ટે આપ્યો છે. એમેઝોને ફેયૂચર કંપની પર કેસ કર્યો હતો. કોર્ટના આર્બિટ્રેટર વી.કે. રાજાએ એમેઝોનની તરફેણમાં વચગાળાનો આ આદેશ આપ્યો છે. ગિરનાર ટેમ્પલ રોપ-વે માં સફર માટે યાત્રિકોની લાંબી લાઇનો લાગે છે: જે પ્રવાસીની ઉંચાઇ ૧૧૦ સે.મી. થી વધુ હોય તે બે ટિકીટના રૂા. ૭૦૦ ચૂકવવાના, બાકીના લોકોએ રૂા. ૩૫૦ ચૂકવવાના. જો કે ૨૫ ઓકટોબર થી ૧૪ નવેમ્બર સુધી ખાસ ડિસ્કાઉન્ટ છે. પુખ્ય લોકોની ટિકિટ રૂા. ૬૦૦ અને બાળકોની ટિકિટ રૂા.૩૦૦ આજથી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ: ૨૯ ઓકટોબરે છેલ્લો દિવસ મધ્યાહન ભોજન યોજનાના રાજ્યભરના કર્મચારીઓ ૨૮ ઓકટોબરે પાટનગર ગાંધીનગરમાં સરકાર વિરૂધ્ધ ...

ધરારનગર વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિ રેલી

     જામનગર મહાનગરપાલિકા પ્રેરિત સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ અંતર્ગત વોર્ડ નંબર ૧ માં ૨૫ મી ઓકટોબરે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું. વોર્ડ નંબર ૧ માં ધરારનગર વિસ્તારમાં સલીમબાપુના મદરેસા પાછળના પેટાવિસ્તારમાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિનો ફેલાવો થાય તે માટે આયોજિત આ રેલીમાં, સૂકો-ભીનો કચરો, ઘન કચરાનો નિકાલ વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર આયોજન એસએસઆઇ ચિરાગ ટાકોદાર, એસઆઇ બાબરીયા, સામાજિક કાર્યકર અનવર સંઘાર, દાઉદ નોતિયાર, સીદીક ગંઢાર વગેરે જોડાયા હતાં.

ક્રિકટના સટ્ટામાં બે ઝડપાયા

     જામનગર શહેર વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નિર્મળસિંહ જાડેજાને બાતમી મળતાં પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ બે પીએસઆઇ દેવમુરારી-ગોજિયાની ટીમે સેન્ટ ઝેવિયર્સ વાળી ગલી પાસે આવેલા યુનિક શોપીંગ સેન્ટર પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતાં બે શખ્સો, કશ્યપ ગિરીશ દેગડા તથા પ્રદિપસિંહ ભગવાનજી જાડેજાને રોકડ રકમ તથા મુદામાલ સાથે મળી કુલ ૧૧૮૪૦ સાથે ઝડપી લીધાં છે. ક્રિકેટનો સટ્ટો રમાડનાર બુકી દેવેન્દ્રસિંહ પરમાર (રહે. જામનગર)ને પકડવા પોલીસ કાર્યવાહી ચાલુ છે.

ભાનુશાળી યુવાન દ્વારા ૫૭ મી વખત રકતદાન

     જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા લોહીની જરૂરિયાત અંગે ભાનુશાળી બ્લડ ગ્રુપ સમિતિને ફોન કરવામાં આવેલો જે અનુસંધાને કીરીટભાઇ કનખરા (કેન્ટીન, જી.જી. હોસ્પિટલ)એ તથા બ્લડ ગ્રુપ સમિતિએ તાકીદે લોહીની જરૂરિયાત પૂર્ણ કરી છે. કીરીટભાઇએ અત્યાર સુધીમાં ૫૭ વખત રકતદાન કર્યું છે. બ્લડ ગ્રુપ સમિતિએ તેઓને સેવાના ક્ષેત્રમાં મહાયોધ્ધા લેખાવ્યા છે. માનવસેવા માટે રકતદાન ઉમદા-પ્રેરણારૂપ પ્રવૃતિ છે.

ખેડૂતના ચોરીના નાણાં ગણતરીની કલાકોમાં કબજે લેતી પોલીસ

                                                        જામનગરના એક ખેડૂતના રૂા. ૩૮૩૯૩૦ વાહનમાંથી ચોરાઇ ગયેલાં. આ નાણાં જીરૂ વેચાણના હતાં. ફરિયાદી, સાહેદો સાથે હોટેલમાં જમી રહેલાં. આ વાહન (બોલેરો)ના ચાલકે જ આ રકમ ચોરી કરી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચુડાસમા તથા સ્ટાફે શંકાના આધારે બોલેરો ચાલક હેમંત દેવરાજ નકુમ (૩૫, જુવાનપર)ની આકરી પૂછપરછ કરતાં તેણે આ નાણાં જ્યાં સંતાડેલાં ત્યાંથી કાઢી આપ્યા છે. ગુના બનાવનું સ્થળ કનૈયા હોટેલ નજીક છે. ચોરીનો આ ભેદ ઉકેલવામાં સ્ટાફના યશપાલસિંહ, વિરેન્દ્રસિંહ, મગનભાઇ તથા જિગ્નેશભાઇ વગેરે જોડાયા હતાં.

રાજપૂત સમાજમાં શસ્ત્રપૂજન

     જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘના ઉપક્રમે ક્રિકેટ બંગલા નજીક રાજપૂત સમાજની વાડી ખાતે જ્ઞાતિના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. જેમાં કટાર, તલવારથી માંડીને રિવોલ્વર, બંદૂક સહિતના શસ્ત્રોનું શાસ્ત્રોક વિધિથી, સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્રપૂજન

     જામનગરના સરૂ સેકશન રોડ પર આવેલાં પોલીસ હેડ કવાર્ટર ખાતે એસપી દિપન ભદ્રનના માર્ગદર્શન પ્રમાણે તેઓની ઉપસ્થિતિમાં દશેરા નિમિતે પોલીસદલણા શસ્ત્રોના પૂજનનો કાર્યક્રમ, સોશિયલ ડિસ્ટન્સ સાથે શાસ્ત્રોકત વિધીથી યોજવામાં આવ્યો. જેમાં ડીવાયએસપી, વિવિધ પોલીસ ચોકીના પીઆઇ, પીએસઆઇ તથા સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતાં.