જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘના ઉપક્રમે ક્રિકેટ બંગલા નજીક રાજપૂત સમાજની વાડી ખાતે જ્ઞાતિના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. જેમાં કટાર, તલવારથી માંડીને રિવોલ્વર, બંદૂક સહિતના શસ્ત્રોનું શાસ્ત્રોક વિધિથી, સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો