જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા લોહીની જરૂરિયાત અંગે ભાનુશાળી બ્લડ ગ્રુપ સમિતિને ફોન કરવામાં આવેલો જે અનુસંધાને કીરીટભાઇ કનખરા (કેન્ટીન, જી.જી. હોસ્પિટલ)એ તથા બ્લડ ગ્રુપ સમિતિએ તાકીદે લોહીની જરૂરિયાત પૂર્ણ કરી છે. કીરીટભાઇએ અત્યાર સુધીમાં ૫૭ વખત રકતદાન કર્યું છે. બ્લડ ગ્રુપ સમિતિએ તેઓને સેવાના ક્ષેત્રમાં મહાયોધ્ધા લેખાવ્યા છે. માનવસેવા માટે રકતદાન ઉમદા-પ્રેરણારૂપ પ્રવૃતિ છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો