મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 17, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આ પોલીસ અધિકારીની બદલી જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર (પીટીસી) ખાતે કરવામાં આવી છે.

       સિટી-એ ડિવિઝન ના પીએસઆઈ એન.વી હરીયાણી, પીએસઆઈ બી.એસ.વાળા, પીએસઆઈ આઇ.આઇ.નોયડા, પીએસઆઈ જે.ડી.પરમાર, પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પીએસઆઈ આર.કે.ગોસાઈ, પીએસઆઈ ડી.એન.જોશી, પીએસઆઈ ડી.જે.વાધાણી, પીએસઆઈ કે.વી.ઝાલા તથા સિટી-એ ડિવિઝન ના નવનિયુક્ત પીઆઇ મિત્તલકુમાર ગજ્જર તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સમગ્ર ડી-સ્ટાફ, એલઆઇબી સ્ટાફ, દરબાગઢ ચોકી સ્ટાફ, ખંભાળીયા ગેટ ચોકી સ્ટાફ, દિગ્વિજય પ્લોટ ચોકી સ્ટાફ તેમજ દ્વારા વિદાય સમારો માં ફૂલહાર પહેરાવીને મહાવીરસિંહ જલુની કામગીરીને બિરદાવી વિદાયમાન આપ્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલુ ને સન્માન સાથે વિદાયમાન

     જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુની બદલી થતાં સમગ્ર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અન્ય અધિકારીઓ-મહેમાનોગણો ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સીટી એ ડિવિઝનના પીએસઆઇ અને.વી. હરીયાણી, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, પીએસઆઇ આર.કે. ગોસાઇ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવનિયુકત પીઆઇ મિતલકુમાર ગજ્જર તેમજ ડી સ્ટાફ, દરબારગઢ ચોકી, ખંભાળીયા ગેઇટ ચોકી, દિગ્વીજય પ્લોટ ચોકીનો સ્ટાફ જોડાયો હતો.  

હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો....

     જામનગર નજીકના ધુંવાવનાં એક અવાવરૂ વિસ્તારમાંથી એક વૃદ્ધાની લાશ મળી આવ્યા પછી, આ બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ જે.પી.સોઢા અને સેકન્ડ પીએસઆઇ ઓડેદરાની ટીમે હત્યાનાં આ બનાવનાં આરોપી સચાણા ગામનાં જુસબ અબ્બાસ કકકલ ઉર્ફે કારોચોર નામનાં ૫૮ વર્ષનાં મજૂર શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ જાંબુડા નજીકના વિસ્તારમાંથી નંબર વિનાનાં મોટરસાયકલ સાથે પકડાયો છે.  

લોખંડનાં ભંગાર સાથે બે શખ્સ ઝડપાયા....

     જામનગર શષ્ઘ નાં પીએસઆઇ એ.એસ. ગરચરની ટીમે ધુંવાવનાં એક અવાવરૂ વિસ્તારમાંથી ભંગારના ૬૦ બાચકા અને એક રિક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. ભંગારનો જથ્થો અંદાજે ૧,૦૦૦ કિલો જેટલો હોવાનું    જાહેર થયું છે. કુલ રૂ. ૧,૦૨,૮૫૦ નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે પકડવામાં આવ્યો છે.      ભંગારના આ જથ્થા સાથે ઝડપાયેલાં બે શખ્સોના નામ રફીક ઈસ્માઈલ શેખ(૨૨) અને હનીફમીયા રજાકમીયા સૈયદ છે. બંને શખ્સો ગુલાબનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાહેર થયું છે. જે પૈકી હનીફ નામનો ૪૭ વર્ષનો શખ્સ રિક્ષાચાલક છે.  

૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમે એક વૃદ્ધાને બચાવ્યા

 જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ અને જણાવેલ કે લાલ બંગલો જિલ્લા કાનૂની સેવા સતા મંડળની ઑફિસ પાસે અંદાજે ૯૦ વર્ષના વૃદ્ધ મહિલા બે કલાકથી આવીને બેઠા છે અને એવુ જણાવે છે કે તેમના દીકરાએ માર માર્યો હતો બાદમાં તેઓ ઘરેથી તળાવમાં પડવા માટે નીકળી ગયા હતા અને અહીંયા આવીને બેઠા છે.      આથી ૧૮૧ મહિલા હેલ્પલાઈના કાઉન્સેલર દર્શના મકવાણા, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા, મહાવિરસિંહ વાઢેર વગેરેએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના ત્રણ દીકરા છે અને તે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં રહે છે પીડિતા વૃદ્ધાના સૌથી નાના દીકરાએ તેમના સાથે મારકૂટ કરેલ હોવાથી તેઓ કંટાળીને ઘર મુકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહિલા હેલ્પલાઈનના સ્ટાફ દ્વારા તેમનું કાઉન્સલિંગ કરી વૃદ્ધાને સમજાવીને તેમના ઘરે જવા માટે સલાહ આપી હતી. વૃદ્ધાએ કોઈ કાર્યવાહી કરવાનીના પાડતા ૧૮૧ની ટીમે વૃદ્ધાને ઘરે પહોંચાડી તેમના દીકરા અને પુત્રવધૂનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપી સારસંભાળ લેવા સૂચન કરી અને હવે પછી પીડિત વૃદ્ધા પર હિંસા ન થાય તે બાબતે કડકાઈથી સમજ...

વીજળીનાં જીવંત તાર અને ટ્રાન્સફોર્મર પર વૃક્ષારોપણ !

     જામનગરના નગરસીમ સબ ડિવિઝન હેઠળ આવતાં સનસીટી, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વિજતંત્રની કામગીરી સામે પ્રર્શ્નાર્થ સર્જાયો છે. ઠેર- ઠેર વિજ ટ્રાન્સફોર્મર અને વિજ તારો ઉપર વનસ્પતિના વેલાઓ ચડી ગયા હોવા છતાં તંત્રને દેખાતાં નથી. યોગ્ય મેઇન્ટેનશ ન થવાના કારણે આ વિસ્તારોમાં દિવસમાં ત્રણ થી ચાર વખત વિજ વિક્ષેપ થવાના કારણે રહેવાસીઓ ત્રાસી ગયા છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી મુખ્ય માર્ગો પર વીજ ટ્રાન્સફોર્મર પર વેલાઓ ચડી ગયા હોવા છતાં કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરી, જુનિયર ઇજનેર સહિતના અધિકારીઓને દેખાતાં નથી. વિજતંત્ર દ્વારા ગ્રાહકોને સાતત્યપૂર્વક વિજ પૂરવઠો મળી રહે તે માટે દર વર્ષે પ્રિ-મોન્સુન, ફેસ્ટીવલ મેઇન્ટેનશ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવતું હોય પરંતુ આ નકકર કામગીરીને બદલે ફકત કાગળ પર જ થતી હોય તેવું દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત દર અઠવાડિયે મેઇન્ટેનશના બહાને સાત કલાકનો વિજકાપ પણ લાદવામાં આવતું હોય છે. જે કામગીરી પણ માત્ર કાગળ પર જ થતી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.