મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 11, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સરકારની ગુન્હાહિત બેદરકારીને કારણે ગાય સહિતના મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે: કોંગ્રેસ

       ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપા સરકારની ગુન્હાહિત બેદરકારીને પગલે ગાયમાતા સહિતના મૂંગા પશુઓનાં મોત થઈ રહ્યા છે. ગૌશાળાઓ અને પાંજરાપોળોને સાતસાત મહિનાથી સબસિડીનાં નાણાં ચૂકવવામાં આવ્યા નથી. ગાયમાતાની ચિંતા કરી, આંદોલન કરનાર જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા વિરુદ્ધની આઈપીસી કલમ-૩૦૭ સહિતની ફરિયાદ તથા કેસ પાછો ખેંચવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પશુધનના નિરીક્ષણ અને સારવારનાં કામમાં પૂરતાં સ્ટાફને અભાવે પશુધનની સ્થિતિ સતત કથળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે, નકકર આયોજનનાં અભાવે એક માત્ર કચ્છ જિલ્લામાં ૨૦ હજારથી વધુ ગાયોનાં મોત નીપજ્યા છે !      દિગુભા જાડેજાને પોલીસ સ્ટેશનમાં પાણી તથા જમવાનું આપવામાં આવ્યું નથી એવો આક્ષેપ કરી કોંગ્રેસે પૂછ્યું કે, ગાયમાતાના હિતની વાત કરવી એ કોઈ ગુનો છે ?      ગાયોના નામે મત માગનારી નકલી હિન્દુત્વ ધરાવતી આ સરકારનાં ચાલ, ચરિત્ર તથા ચલન લોકો સમક્ષ ખૂલ્લા પડી ગયા છે, ગાયો તકલીફમ...

જામનગર પોલીસ દ્વારા આતંકવાદી પકડયાની મોકડ્રીલ

   બુધવારે ૧૦ મી ઓગસ્ટે જામનગર પોલીસ દ્વારા બંદર ખાતે આતંકવાદી પકડયાની મોકડ્રીલ યોજવામાં આવી હતી.એલ.આઇ.બી. ખાતેથી અતિ ગંભીર ઇનપુટ આપવામાં આવેલું કે,  જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે જે ઇનપુટ આધારે એસ.પી. દ્વારા dysp  જે.એસ.ચાવડા  તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. કે. કે.ગોહિલ તથા બેડી મરીન પો.સ.ઈ. સી.એમ.   કાંટેલિયાને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અન્વયે દરિયાઈ પેટ્રોલિંગ તથા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન બુધવારે બપોરે બે વાગ્યે વાગ્યે જૂના બંદર થી આગળ દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવામાં આવેલી જેને ઉભી રાખવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તે બોટ ઉભી રહી ન હતી તેથી પોલીસે કોર્ડન કરી બોટ ઉભી રખાવવામાં  આવી અને બોટ ચેકીંગ કરતા તેમાંથી ૨ શંકાસ્પદ ઈસમો મળી આવ્યાં હતાં અને બોટ અંદરથી ૨ એકે- ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવ્યો હતો,  જેથી બોટને બંદર પર લાવવામાં આવી હતી અને વધુ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં આ આખી કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં લમ્પી રોગચાળાની ચર્ચા જ નહીં, એજન્ડામાં પણ નહીં !!

       જામનગર મહાનગરપાલિકાની બે મહિને એક વખત યોજાતી જનરલ બોર્ડની બેઠક બુધવારે બપોરે ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં લમ્પી રોગચાળાની કોઈ જ ચર્ચા કરવામાં આવી નહીં. શાસકપક્ષ જાણીજોઈને દૂર રહ્યો હશે ?! બોર્ડના એજન્ડામાં આ વિષય જ નહીં. અને, વિપક્ષ આ રોગચાળો બોર્ડમાં ભૂલી ગયો. વિપક્ષનાં નગરસેવિકા રચનાબેન નંદાણિયા લમ્પી રોગચાળાગ્રસ્ત ગાયનાં ગેટઅપમાં બોર્ડમાં આવ્યા. પરંતુ બોર્ડમાં આ વિષય સાવ અનટચ રહ્યો.      આ ઉપરાંત જનરલ બોર્ડની બેઠકમાં TP સ્કીમ અંગેની એક આઈટમ એજન્ડા આઈટમ તરીકે હાથ પર લેવામાં આવી હતી. જેમાં શાસકપક્ષે એમ જણાવ્યું હતું કે, જામનગરનાં નવા હદ વિસ્તારમાં TP સ્કીમ બનાવવા અંગે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે. આ મુદ્દે વિપક્ષના નેતા આનંદ રાઠોડે ગૃહમાં એમ જણાવ્યું હતું કે, TP સ્કીમ મંજૂર થાય તે સારી બાબત છે પરંતુ ત્યારબાદ સ્કીમના અનુસંધાને મહાનગરપાલિકાએ લોકોની સેવા સુવિધાઓ માટે જે ઝડપે વ્યવસ્થાઓ ઉભી કરવાની હોય છે તેમાં મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી. વિપક્ષની આ ટિપ્પણી બાદ પદાધિકારીઓ કે અધિકારીઓ દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો, શાસકપક્ષે કોઈ જ...

જામનગરનાં વિસ્તાર અને વિકાસ માટે નવી દિશા: TP સ્કીમ નં. ૨૩ ને મંજૂરી આપતાં મુખ્યમંત્રી

     કોઈ પણ શહેર, ખાસ કરીને મહાનગરના સંતુલિત અને ઝડપી વિકાસ માટે TP (ટાઉન પ્લાનિંગ) સ્કીમ સૌથી અસરકારક અને કાયદેસરનું શસ્ત્ર છે, જે મહાનગરપાલિકાને વધારાની કરોડો રૂપિયાની આવક પણ રળી આપે છે અને સામાજિક તથા માળખાકીય સુવિધાઓ વધારવા માટે આ TP સ્કીમથી મહાનગરપાલિકાને વધારાની લાખો ચોરસ ફૂટ જમીનો ઉપલબ્ધ થતી હોય છે. જામનગર મહાનગરપાલિકાએ પાછલાં એક જ વર્ષમાં ચાર ચાર TP સ્કીમની મંજૂરી મેળવી છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ જામનગર માટે નવી TP સ્કીમ નં. ૨૩ ને મંજૂરી આપી.      આ સ્કીમથી મહાનગરપાલિકાને અંદાજે રૂ. ૧૨૫ કરોડની આવક થશે કેમ કે, આ સ્કીમમાં મહાનગરપાલિકાને વેચાણ માટે રહેણાંક વિસ્તારના ૬ અને કોમર્શિયલ વિસ્તારના ૩ વિશાળ પ્લોટ ઉપલબ્ધ થયાં છે. આ TP સ્કીમમાં કાલાવડ બાયપાસ ઠેબા ચોકડી પાસે JCR સિનેમાઘરથી માંડીને છેક લાલપુર બાયપાસ ચોકડી નજીકના પેટ્રોલ પંપ સુધીનો વિસ્તાર તથા ઠેબા ચોકડીથી માંડીને છેક મહાનગરપાલિકાનાં ESR સુધીનાં વિશાળ વિસ્તારનો સમાવેશ થાય છે. પુષ્કળ રહેણાંક પ્રોજેક્ટ આવશે. હજારો મકાનો બનશે. લોકોને સસ્તા ઘરો મળી શકશે.      મહાનગરપાલિકા આ વિસ્તારોમાં અ...