મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 24, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરથી પસાર થતી ૬ ટ્રેનો હંગામી ધોરણે રદ્

ફાઇલ ચિત્ર      જામનગરથી પસાર થતી ઓખા-શાલિમાર, પોરબંદર-શાલિમાર તથા પોરબંદર- સાંતરાગાચ્છી ટ્રેન બિલાસપુર બલોકના કારણે રદ્ કરવામાં આવી છે. આ ટ્રેનો કયારે પૂર્વવત્ કરવામાં આવશે ? તે અંગે રેલવે પૂછપરછ વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.  

તળાવને ' સૌની' યોજનાનાં પાણીથી ભરવામાં આવશે....

ફાઇલ ચિત્ર      આ વર્ષે પણ જામનગરની મધ્યમાં આવેલું તળાવ હજુ સુધી પૂર્ણ ભરાયું નથી. ઉપરવાસમાં ઓછાં વરસાદને કારણે પૂરતું પાણી ન આવતાં હજુ ૩૦-૪૦ ટકા જેટલાં પાણીની ઘટ હોય , આગામી દિવસોમાં ' સૌની ' યોજનાની પાઈપ લાઈન મારફત તળાવમાં પાણી ઠાલવવામાં આવશે, એમ જળસંપત્તિ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.એસ.હરદયાએ જણાવ્યું છે.  

શેઠવડાળા સહકારી મંડળીની મિલ્કતો સીલ !

પ્રતિકાત્મક ચીત્ર      જામનગર જિલ્લા સહકારી બેંકે લાંબા સમયથી જામજોધપુર તાલુકાનાં શેઠવડાળાની સહકારી મંડળી પાસેથી રૂ. ૫૦ લાખ હિસાબ પેટે લેવાનાં થતાં હતાં પરંતુ આ મંડળીનાં હોદેદારો દ્વારા આ અંગે કશી કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જિલ્લા સહકારી બેંક દ્વારા સહકારી મંડળીની રૂ. ૫૦ લાખની મિલકતો ( એક ગોડાઉન તથા એક દુકાન) સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સહકારી બેંક દ્વારા અન્ય ત્રણ સહકારી મંડળીઓનુ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે.  

આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવી

     જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  તા. 21 અને તા. 22 ના રોજ આંતર શાળા રાસ ગરબા હરીફાઈ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.      આ રાસ ગરબા સ્પર્ધામાં કુલ 2  વિભાગમાં સમિતિ સંચાલિત 44 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-1 માં 21 શાળાઓએ ભાગ લીધો હતો , જેમાં કુલ 8 કુમાર ની કૃતિ અને 12 કન્યાઓ ની કૃતિ અને એક મિશ્ર કુમાર - કન્યા સહિત  કુલ 292 બાળકોએ પરંપરાગત પોશાક પહેરી કૃતિ રજૂ કરી હતી. તારીખ 22 ના રોજ વિભાગ 2 માં આંતરશાળા સ્પર્ધામાં કુલ 20 કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં 7 કુમાર કૃતિ 13 કન્યાઓએ  પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ કૃતિઓ રજૂ કરી હતી અને કુલ 274 બાળકોએ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.      વિભાગ-1 માં શાળા નંબર 44/ 51/ 40/ 60 27 /10 કુલ છ શાળા ની કૃતિ નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિભાગ -૨ માં શાળા નંબર 20 /29/ 18/ 11/ 12 /31 કુલ 6 શાળાનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ તમામ 12 કૃતિઓ  તારીખ 25  ને રવિવારના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:00 વાગ્યે શહેરના અગ્રણીઓની ઉપસ્થ...

વરણા, જગા તથા મેડી ગામના ચેકડેમ-તળાવો નર્મદા નીરથી ભરવામાં આવ્યા

     વરણા, જગા તથા મેડી ગામના ચેકડેમો તથા તળાવો નર્મદા નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો દ્વારા નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ તથા કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો      આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન  ભરતભાઈ બોરસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન  લખધીરસિંહ જાડેજા, સિંચાઈ સમિતિના ચેરમેન  વિનુભાઈ વાડોદરિયા, જાડાના પૂર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ  હસુભાઈ ફાચરીયા,  આગેવાનો રમેશભાઈ મુંગરા, ડો.સૂર્યકાંતભાઈ મઢવી, ડો. વસોયા તથા  આસપાસના ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીનો 405 મો ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવ

     જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ , ખીજડા મંદિરમાં તા . 23 સપ્ટેમ્બર, 2022 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .જામનગર શહેર શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે .      મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર - 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા  કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા હતાં. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .      પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીન...