મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 22, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લોકડાઉનમાં આવક

     લોકડાઉનના ૬ માસ દરમિયાન જમીન, મિલ્કતો વેચાણ સહિત કુલ ૪.૭૬ લાખ દસ્તાવેજોની નોંધણી ગુજરાતમાં થઇ છે. સરકારને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂા. ૭૭૩ કરોડની આવક ટઇ છે. ગત્ વર્ષ કરતાં આ વર્ષે વધુ દસ્તાવેજો થયા છે. દસ્તાવેજો પૈકી ૮૫ ટકાથી વધુ જમીન, મકાનના હોય છે. ગત ૨૪ એપ્રિલથી એપોઇન્ટમેન્ટ અને ઇ-પેમેન્ટ ફરજિયાત છે. પ્રક્રિયાઓ ઓનલાઇન થયા પછી અત્યાર સુધીમાં ૫૪૮ કિસ્સાઓમાં રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયૂટી ફી આપવી પડી છે.

સાંસદનું મોમેન્ટોથી સન્માન

     હાલારના સાંસદ પૂનમબેન માડમએ કોરોના મહામારી દરમ્યાન લોકોના પ્રÅનોનું સતત નિરાકરણ કર્યુ . લોકોને આર્થિક મદદો કરી છે. એમ જણાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ પ્રિતીબેન શુકલ, ટ્રેનર્સ શારદાબેન ભૂવા, પાયલબેન ભૂવા વગેરેએ મોમેન્ટો આપી સાંસદનું સન્માન કર્યુ .

સુભાષ બોઝની પ્રતિમાને ફૂલહાર

     સુભાષચંદ્ર બોઝએ આઝાદી માટે બનાવેલી આઝાદ હિંદ ફૌજની રચનાને, ૨૧ મી ઓકટોબરે ૭૭ વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં સુભાષ બ્રિજ (જૂનો વિકટોરીયા પુલ) નજીક સ્થાપવામાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાંને મેયર હસમુખભાઇ જેઠવા તથા હિંદુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટ, યુવા અધ્યક્ષ મયૂર પટેલ વગેરેએ ફુલહાર કર્યા હતાં અને વંદે માતરમ્નંુ ગાન કરવામાં આવેલું.

બાળલગ્ન કરાવનાર માતાપિતાને રૂા. ૩૦,૦૦૦ નો દંડ: હાઇકોર્ટ

     જામનગર નજીકના સિક્કા પોલીસ સ્ટેનશમાં ૭.૨.૨૦૦૫ માં ૧૧ વર્ષની સગીરા ૧૭ વર્ષના સગીરના બાળલગ્ન થયેલાં. એશ્વી ફરિયાદ ઓગષ્ટ-૨૦૨૦માં નોંધાવા પામેલી. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે ૨૦૧૬ માં મારાં સાસરિયાના ઘરે મારાંપતિએ મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું બંને પરિવારો વચ્ચેના સમાધાનથી ફરિયાદ રદ્‌ કરવામાં આવી છે પરંતુ બાળલગ્ન કરાવનાર માતાપિતાને રૂા.૩૦,૦૦૦ નો દંડ કરવામાં આવે છે.      અદાલતે ચુકાદામાં ગાંધીના શબ્દો નોંધ્યા: સારાં ઘરથી સારી કોઇ શાળા નથી, સારાં મા-બાપથી વધુ સારો કોઇ શિક્ષક નથી. સગીર-સગીરા બંનેના માતાપિતાઓને દંડ કરવામાં આવ્યો છે.

પોલીસ શહીદ દિનની ઉજવણી

     ૨૧ મી ઓકટોબરે પોલીસ શહિદ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં જિલ્લા પોલીસ હેડકવાર્ટર્સ ખાતે એસપી દિપેન ભદ્રન, ડીવાયએસપી, વિવિધ પોલીસ ચોકીના પીઆઇઓ તથા પોલીસ સ્ટાફના જવાનોએ સદ્‌ગત પોલીસકર્મીઓને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

લોકોએ પોતા વિસ્તારમાં કામ કરાવાં ઢોલ વગાડવા પડશે ?

     જામનગરના શાસકપક્ષના નગરસેવકાઅ રચનાબેન નંદાણીયાએ પોતાના વોર્ડમાં પડતર કામ કરાવવા મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસમાં મોડે સુધી ઢોલ વગાડવો પડયો! ત્યારબાદ કમિશનરના આદેશ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ વોર્ડ નંબર ૪ માં પડતર કામગીરી શરૂ કરી છે. લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે, સામાન્ય લોકોએ પોતાના કામો માટે હવે "ઢોલ વગાડવાનો વિકલ્પ" અપનાવો પડશે? આ કેવો વિકાસ?