જામનગર નજીકના સિક્કા પોલીસ સ્ટેનશમાં ૭.૨.૨૦૦૫ માં ૧૧ વર્ષની સગીરા ૧૭ વર્ષના સગીરના બાળલગ્ન થયેલાં. એશ્વી ફરિયાદ ઓગષ્ટ-૨૦૨૦માં નોંધાવા પામેલી. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે ૨૦૧૬ માં મારાં સાસરિયાના ઘરે મારાંપતિએ મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું બંને પરિવારો વચ્ચેના સમાધાનથી ફરિયાદ રદ્ કરવામાં આવી છે પરંતુ બાળલગ્ન કરાવનાર માતાપિતાને રૂા.૩૦,૦૦૦ નો દંડ કરવામાં આવે છે.
અદાલતે ચુકાદામાં ગાંધીના શબ્દો નોંધ્યા: સારાં ઘરથી સારી કોઇ શાળા નથી, સારાં મા-બાપથી વધુ સારો કોઇ શિક્ષક નથી. સગીર-સગીરા બંનેના માતાપિતાઓને દંડ કરવામાં આવ્યો છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો