સુભાષચંદ્ર બોઝએ આઝાદી માટે બનાવેલી આઝાદ હિંદ ફૌજની રચનાને, ૨૧ મી ઓકટોબરે ૭૭ વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં સુભાષ બ્રિજ (જૂનો વિકટોરીયા પુલ) નજીક સ્થાપવામાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાંને મેયર હસમુખભાઇ જેઠવા તથા હિંદુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટ, યુવા અધ્યક્ષ મયૂર પટેલ વગેરેએ ફુલહાર કર્યા હતાં અને વંદે માતરમ્નંુ ગાન કરવામાં આવેલું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો