જામનગરના શાસકપક્ષના નગરસેવકાઅ રચનાબેન નંદાણીયાએ પોતાના વોર્ડમાં પડતર કામ કરાવવા મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસમાં મોડે સુધી ઢોલ વગાડવો પડયો! ત્યારબાદ કમિશનરના આદેશ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ વોર્ડ નંબર ૪ માં પડતર કામગીરી શરૂ કરી છે. લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે, સામાન્ય લોકોએ પોતાના કામો માટે હવે "ઢોલ વગાડવાનો વિકલ્પ" અપનાવો પડશે? આ કેવો વિકાસ?
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો