મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 19, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગર-સિક્કા એસટી રૂટ ચાલુ કરાવવા રજૂઆત

     સિક્કા શહેર યુવા ભાજપાના મહામંત્રી હેમાંગ ત્રિવેદીએ જામનગરના એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમ્યાન જામનગર-સિક્કા-જામનગર વચ્ચે બંધ કરવામાં આવેલો એસટી રૂટ ફરીથી નિયમિત શરૂ કરાવવો જોઇએ. સેંકડો લોકો પરેશાન છે.

ફાઇનાન્સ કંપનીઓના મેનેજરો દ્વારા રજૂઆત

     ગત્ આઠમી ડિસેમ્બરે જામનગરની એક ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત બે કર્મચારી પર, ખંભાળિયા ખાતે એક જ દિવસમાં બે વખત હુમલા થયા હતાં. આવી ઘટનાઓથી ફાઇનાન્સ કંપની ખંભાળિયાને બ્લેકલિસ્ટમાં મૂકે તો સમગ્ર પંથકને નુકસાની જશે, લોન્સ નહીં મળે.      આ પ્રકારની રજૂઆત સાથે સૌરાષ્ટ્રભરની ફાઇનાન્સ સંસ્થાઓના મેનેજર એસોસિએશનને જામનગર જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી ખંભાળિયા હુમલાના આરોપીઓ વિરૂધ્ધ કડક-ઝડપી કાર્યવાહીની માંગણી કરી છે. આ ફરિયાદ પાછી ખેંચાવવા આજની તારીખે આરોપીઓ ફરિયાદીને ધમકાવે છે. એવી રજૂઆત થઇ છે.

સંક્ષિપ્ત સમાચાર

કોઇ પણ વ્યકિતની જમીન કોઇએ પચાવી પાડી હોય તો નવા કાયદાહેઠળ આ દબાણ હટાવવા અરજી કરનાર વ્યકિતએ અરજીની સાથે રૂપિયા ૨૦૦૦ ની ફી ભરવી પડશે. જામનગરમાં ફાયરનું એનઓસી ન મેળવનાર વધુ ૩ હોસ્પિટલો સંકલ્પ હોસ્પિટલ (ટાઉનહોલ), રાધે હોસ્પિટલ (લીમડા લાઇન) તથા ચોવટીયા ઓર્થોપેડીક હોસ્પિટલ (એસ.ટી. રોડ)ના નળજોડાણ કટ કરવામાં આવ્યા છે. જામનગરની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી, જેનું નળજોડાણ હજૂ કટ કરવામાં આવ્યું નથી. ખોડિયારનગર પાસેથી શરાબની ૧૩૬૮ બોટલ, પટેલકોલોનીમાંથી શરાબની ૯૬ બોટલ ઝડપાઇ છે. આ બંને કેસમાં આરોપીઓ "નાસી" જવામાં સફળ. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એક છકડો રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ કેસમાં ઉમેશ આનંદભાઇ પરમાર, ધર્મેન્દ્ર લાખાભાઇની ધરપકડ થઇ છે. મોહનનગર નજીક નવા આવાસમાં દિવ્યેશ ગિરીશભાઇ ચૌહાણ (ઉં.૨૩)એ ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો છે. મૃતકને કોઇ યુવતી સાથે ઝઘડો થયેલો. જામનગરના સ્વામી નારાયણનગરમાં ડ્રીમ સિટીમાં શાંતુબેન ગૌતમભાઇ ખિમસુરીયા (ઉં.૩૮)એ અગ્નિસ્નાન કરી લેતાં મૃત્યુ. જામનગર કસ્ટમમાં કસ્ટડીમાં રહેલાં સોનામાંથી રૂપિયા ૧૧૦ લાખનું સોનું ૨૦૧૬માં ગૂમ થયું: ૨૦૨૦ માં ફરિયાદ કરી. દેશમાં કોરોના...