કોઇ પણ વ્યકિતની જમીન કોઇએ પચાવી પાડી હોય તો નવા કાયદાહેઠળ આ દબાણ હટાવવા અરજી કરનાર વ્યકિતએ અરજીની સાથે રૂપિયા ૨૦૦૦ ની ફી ભરવી પડશે. જામનગરમાં ફાયરનું એનઓસી ન મેળવનાર વધુ ૩ હોસ્પિટલો સંકલ્પ હોસ્પિટલ (ટાઉનહોલ), રાધે હોસ્પિટલ (લીમડા લાઇન) તથા ચોવટીયા ઓર્થોપેડીક હોસ્પિટલ (એસ.ટી. રોડ)ના નળજોડાણ કટ કરવામાં આવ્યા છે. જામનગરની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી, જેનું નળજોડાણ હજૂ કટ કરવામાં આવ્યું નથી. ખોડિયારનગર પાસેથી શરાબની ૧૩૬૮ બોટલ, પટેલકોલોનીમાંથી શરાબની ૯૬ બોટલ ઝડપાઇ છે. આ બંને કેસમાં આરોપીઓ "નાસી" જવામાં સફળ. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એક છકડો રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ કેસમાં ઉમેશ આનંદભાઇ પરમાર, ધર્મેન્દ્ર લાખાભાઇની ધરપકડ થઇ છે. મોહનનગર નજીક નવા આવાસમાં દિવ્યેશ ગિરીશભાઇ ચૌહાણ (ઉં.૨૩)એ ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો છે. મૃતકને કોઇ યુવતી સાથે ઝઘડો થયેલો. જામનગરના સ્વામી નારાયણનગરમાં ડ્રીમ સિટીમાં શાંતુબેન ગૌતમભાઇ ખિમસુરીયા (ઉં.૩૮)એ અગ્નિસ્નાન કરી લેતાં મૃત્યુ. જામનગર કસ્ટમમાં કસ્ટડીમાં રહેલાં સોનામાંથી રૂપિયા ૧૧૦ લાખનું સોનું ૨૦૧૬માં ગૂમ થયું: ૨૦૨૦ માં ફરિયાદ કરી. દેશમાં કોરોના...