ગત્ આઠમી ડિસેમ્બરે જામનગરની એક ફાઇનાન્સ કંપનીના મેનેજર સહિત બે કર્મચારી પર, ખંભાળિયા ખાતે એક જ દિવસમાં બે વખત હુમલા થયા હતાં. આવી ઘટનાઓથી ફાઇનાન્સ કંપની ખંભાળિયાને બ્લેકલિસ્ટમાં મૂકે તો સમગ્ર પંથકને નુકસાની જશે, લોન્સ નહીં મળે.
આ પ્રકારની રજૂઆત સાથે સૌરાષ્ટ્રભરની ફાઇનાન્સ સંસ્થાઓના મેનેજર એસોસિએશનને જામનગર જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી ખંભાળિયા હુમલાના આરોપીઓ વિરૂધ્ધ કડક-ઝડપી કાર્યવાહીની માંગણી કરી છે. આ ફરિયાદ પાછી ખેંચાવવા આજની તારીખે આરોપીઓ ફરિયાદીને ધમકાવે છે. એવી રજૂઆત થઇ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો