મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 23, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

નાઘેડી નજીક સત્યલોક પ્રસ્થાન ધામ નામનું સ્મશાનગૃહ ૨૫ ઓકટોબરથી શરૂ થઈ જશે. આ સ્મશાનમાં કોઇ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. કબીર આશ્રમ દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવશે. નાઘેડી નજીકના ૧૦ થી ૧૨ ગામોના લોકોને આ સેવાનો લાભ મળશે જામનગરની મોર્ડન માર્કેટમાંથી શેરસટ્ટાનો ડબ્બો ઝડપાયો: ૩ આરોપીઓ પ્રદિપ હંસરાજ બુધ્ધદેવ, પરાગ દિલીપ હરવરા, રાજેશ ભીખુ મકવાણાની ધરપકડ જામનગર તાલુકાના જગા ગામમાં જીઆરડી જવાન પર હુમલો: રઘુવીરસિંહ (રઘો) બાલુભા જાડેજા, અનિરૂધ્ધસિંહ (અનિયો) નટુભા જાડેજા (જગા) વિરૂધ્ધ ફરિયાદ શેરબજારમાં ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિકસ કંપનીમાં કુંડાળું: ઉપલી સર્કીટનો મેસેજ મોકલી સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા દૂબાડયા: ખોટાં મેસેજ વાયરલ કરનારની ધરપકડ શા માટે નથી થતી? ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને(ઉં.૬૧ વર્ષ) હાર્ટ એટેક આવતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ: તેમની એન્જિયોપ્લાસ્તી કરવામાં આવી છે અને તેની તબીયત સારી છે: દિલ્હી હોસ્પિટલ ડોકટર કોરોનાની વેકસિન માટે કેન્દ્રનું ૫૦૦૦૦ કરોડનું બજેટ: પ્રતિ વ્યકિત વેકશિનનો ખર્ચ ૫૦૦ રૂપિયાની આસપાસ થશે: હાલ ભારતની વસિત ૧૩૦ કરોડ ફેસબુક ટવિટ્ર કંપનીઓ પાસે ભારતીય...

તબીબ ભરતીની પરીક્ષા

     જામનગર મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં તબીબી અધિકારી વર્ગ-૨ ની બાર જગ્યાઓ ખાલી છે જે માટે ૧૧૫ સ્ત્રી-પૂરૂષ ઉમેદવારોએ અરજી કરેલી. આ તમામ ઉમેદવારોની પરીક્ષા ગુરૂવારે સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે લેવામાં આવી છે.      આ બાર તબીબોની ભરતી છ-આઠ માસ વહેલી કરવામાં આવી હોત તો નગરજનોને કોરોના મહામારી દરમ્યાન વધુ સારી તબીબી સેવાનો લાભ મળી શકયો હોત એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ગુરૂવારે પરીક્ષા દરમ્યાન કમિશનર સતિષ પટેલ, ડેપ્યુટી કમિશનર વગેરેએ પરીક્ષાની કાર્યવાહીનું ચેકીંગ કર્યું  હતું.   

જામનગરમાં તરૂણ ગૂમ

     જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં ૫૫ વર્ષના કેશવ બંસીધર ચૌધરીએ (મો.  74878 71571 ) પોલીસમાં અરજી આપી છે કે તેનો સોળેક વર્ષનો પુત્ર પરમાત્માકુમાર ૧૦ ઓકટાબરથી ગૂમ છે. આ પરિવાર બિહારી છે. તેના પિતા પાણાખાણામાં રૂપન ઓકિસજન ગેસ કંપનીમાં નોકરી કરે છે. ગૂમ તરૂણની ઉંચાઇ પાંચ ફૂટ થી વધુ છે. વાન ગોરો છે. મગજશકિત થોડી ઓછી છે. કોઇને કશી જાણકારી મળે તો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો અથવા કેશવ બંધીર ચૌધરીના મોબાઇલ નંબર ઉપર જાણ કરવી.

યાર્ડમાં મગફળીની આવક

     જામનગર યાર્ડમાં મગફળીની ચિક્કાર આવકો થઇ રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ૨૧ મી થી કરવાની હતી તેમાં અઠવાડિયાનો વિલંબ જાહેર કર્યો છે. બીજી બાજુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે વેપારીઓને ડાયરેકટ વેચી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ મણ રૂા. ૮૦૦ થી માંડી રૂા. ૧૩૨૫ સુધીનો ભાવ મળી રહ્યો છે. યાર્ડમાં મગફળીનો તોતિંગ જથ્થો સાચવવા પૂરતાં શેઠ નથી તેથી વારંવાર મગફળીની આવક બંધ રાખવામાં આવે છે. ગુરૂવારે સવારે માત્ર ૪ કલાક પૂરતી જ યાર્ડ આવક ચાલુ રાખી. ૩૫૦ વાહનોને જ મંજૂરી આપી, ૧૪૦૦૦ ગુણીની આવક થઇ.      યાર્ડમાં આવક મર્યાદિત રાખવામાં આવતી હોય સતાવાળાઓ પ્રત્યે ખેડૂતો નારાજ છે.

ખેડૂતોની સહાયની માંગણી

     જામનગર જિલ્લામાં ૧૮ મી ઓકટોબરના વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે. સરકારે જાહેરાત કરેલી જ છે કે, ૧૫ નવેમ્બર સુધીમાં ૫૦ મિ.મી. વરસાદથી પાકને નુકસાન થાય તો ખેડૂતને સહાય મળવાપાત્ર છે.      આ પરિપત્રના આધારે સરકારે જામનગર જિલ્લામાં પાક નુકસાનીનો ફરીથી સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવી જોઇએ એવી માંગણી સાથેનું આવેનદપત્ર યુવા ખેડૂતોએ કલેકટર કચેરીમાં આપ્યું છે.      આ તકે ખેંગારપુર, બેરજા, વરણા પસાયા સહિતના ગામોના યુવા ખેડૂતો હાજર રહ્યા હતાં.