જામનગર જિલ્લામાં ૧૮ મી ઓકટોબરના વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે. સરકારે જાહેરાત કરેલી જ છે કે, ૧૫ નવેમ્બર સુધીમાં ૫૦ મિ.મી. વરસાદથી પાકને નુકસાન થાય તો ખેડૂતને સહાય મળવાપાત્ર છે.
આ પરિપત્રના આધારે સરકારે જામનગર જિલ્લામાં પાક નુકસાનીનો ફરીથી સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવી જોઇએ એવી માંગણી સાથેનું આવેનદપત્ર યુવા ખેડૂતોએ કલેકટર કચેરીમાં આપ્યું છે.
આ તકે ખેંગારપુર, બેરજા, વરણા પસાયા સહિતના ગામોના યુવા ખેડૂતો હાજર રહ્યા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો