જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં ૫૫ વર્ષના કેશવ બંસીધર ચૌધરીએ (મો. 74878 71571) પોલીસમાં અરજી આપી છે કે તેનો સોળેક વર્ષનો પુત્ર પરમાત્માકુમાર ૧૦ ઓકટાબરથી ગૂમ છે. આ પરિવાર બિહારી છે. તેના પિતા પાણાખાણામાં રૂપન ઓકિસજન ગેસ કંપનીમાં નોકરી કરે છે. ગૂમ તરૂણની ઉંચાઇ પાંચ ફૂટ થી વધુ છે. વાન ગોરો છે. મગજશકિત થોડી ઓછી છે. કોઇને કશી જાણકારી મળે તો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો અથવા કેશવ બંધીર ચૌધરીના મોબાઇલ નંબર ઉપર જાણ કરવી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો