જામનગર યાર્ડમાં મગફળીની ચિક્કાર આવકો થઇ રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ૨૧ મી થી કરવાની હતી તેમાં અઠવાડિયાનો વિલંબ જાહેર કર્યો છે. બીજી બાજુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે વેપારીઓને ડાયરેકટ વેચી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ મણ રૂા. ૮૦૦ થી માંડી રૂા. ૧૩૨૫ સુધીનો ભાવ મળી રહ્યો છે. યાર્ડમાં મગફળીનો તોતિંગ જથ્થો સાચવવા પૂરતાં શેઠ નથી તેથી વારંવાર મગફળીની આવક બંધ રાખવામાં આવે છે. ગુરૂવારે સવારે માત્ર ૪ કલાક પૂરતી જ યાર્ડ આવક ચાલુ રાખી. ૩૫૦ વાહનોને જ મંજૂરી આપી, ૧૪૦૦૦ ગુણીની આવક થઇ.
યાર્ડમાં આવક મર્યાદિત રાખવામાં આવતી હોય સતાવાળાઓ પ્રત્યે ખેડૂતો નારાજ છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો