- નાઘેડી નજીક સત્યલોક પ્રસ્થાન ધામ નામનું સ્મશાનગૃહ ૨૫ ઓકટોબરથી શરૂ થઈ જશે. આ સ્મશાનમાં કોઇ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. કબીર આશ્રમ દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવશે. નાઘેડી નજીકના ૧૦ થી ૧૨ ગામોના લોકોને આ સેવાનો લાભ મળશે
- જામનગરની મોર્ડન માર્કેટમાંથી શેરસટ્ટાનો ડબ્બો ઝડપાયો: ૩ આરોપીઓ પ્રદિપ હંસરાજ બુધ્ધદેવ, પરાગ દિલીપ હરવરા, રાજેશ ભીખુ મકવાણાની ધરપકડ
- જામનગર તાલુકાના જગા ગામમાં જીઆરડી જવાન પર હુમલો: રઘુવીરસિંહ (રઘો) બાલુભા જાડેજા, અનિરૂધ્ધસિંહ (અનિયો) નટુભા જાડેજા (જગા) વિરૂધ્ધ ફરિયાદ
- શેરબજારમાં ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિકસ કંપનીમાં કુંડાળું: ઉપલી સર્કીટનો મેસેજ મોકલી સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા દૂબાડયા: ખોટાં મેસેજ વાયરલ કરનારની ધરપકડ શા માટે નથી થતી?
- ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને(ઉં.૬૧ વર્ષ) હાર્ટ એટેક આવતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ: તેમની એન્જિયોપ્લાસ્તી કરવામાં આવી છે અને તેની તબીયત સારી છે: દિલ્હી હોસ્પિટલ ડોકટર
- કોરોનાની વેકસિન માટે કેન્દ્રનું ૫૦૦૦૦ કરોડનું બજેટ: પ્રતિ વ્યકિત વેકશિનનો ખર્ચ ૫૦૦ રૂપિયાની આસપાસ થશે: હાલ ભારતની વસિત ૧૩૦ કરોડ
- ફેસબુક ટવિટ્ર કંપનીઓ પાસે ભારતીયોના ડેટા કેટલો સુરક્ષિત તે અંગે સંસદીય સમિતિએ કંપનીઓ પાસે માહિતી માંગી: અમેઝોન અને ગુગલને પણ નોટિસ: એમેઝોને સંસદીય સમિતી સમક્ષ હાજર થવાનો ઇન્કાર કર્યો
- આઇપીએલમાં મુંબઇ સામે આજે ચેન્નાઇ હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર: ચેન્નાઇએ ૧૦ મેચ રમી જેમાંથી ફકત ૩ મેચ જીતી
- ભાજપા સાથેનો ૪૦ વર્ષનો સંબંધ તોડી નાખી એકનાથ ખડસે (મહારાષ્ટ્ર માં)શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાયા.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો