મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • નાઘેડી નજીક સત્યલોક પ્રસ્થાન ધામ નામનું સ્મશાનગૃહ ૨૫ ઓકટોબરથી શરૂ થઈ જશે. આ સ્મશાનમાં કોઇ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. કબીર આશ્રમ દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવશે. નાઘેડી નજીકના ૧૦ થી ૧૨ ગામોના લોકોને આ સેવાનો લાભ મળશે
  • જામનગરની મોર્ડન માર્કેટમાંથી શેરસટ્ટાનો ડબ્બો ઝડપાયો: ૩ આરોપીઓ પ્રદિપ હંસરાજ બુધ્ધદેવ, પરાગ દિલીપ હરવરા, રાજેશ ભીખુ મકવાણાની ધરપકડ
  • જામનગર તાલુકાના જગા ગામમાં જીઆરડી જવાન પર હુમલો: રઘુવીરસિંહ (રઘો) બાલુભા જાડેજા, અનિરૂધ્ધસિંહ (અનિયો) નટુભા જાડેજા (જગા) વિરૂધ્ધ ફરિયાદ
  • શેરબજારમાં ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિકસ કંપનીમાં કુંડાળું: ઉપલી સર્કીટનો મેસેજ મોકલી સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા દૂબાડયા: ખોટાં મેસેજ વાયરલ કરનારની ધરપકડ શા માટે નથી થતી?
  • ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને(ઉં.૬૧ વર્ષ) હાર્ટ એટેક આવતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ: તેમની એન્જિયોપ્લાસ્તી કરવામાં આવી છે અને તેની તબીયત સારી છે: દિલ્હી હોસ્પિટલ ડોકટર
  • કોરોનાની વેકસિન માટે કેન્દ્રનું ૫૦૦૦૦ કરોડનું બજેટ: પ્રતિ વ્યકિત વેકશિનનો ખર્ચ ૫૦૦ રૂપિયાની આસપાસ થશે: હાલ ભારતની વસિત ૧૩૦ કરોડ
  • ફેસબુક ટવિટ્ર કંપનીઓ પાસે ભારતીયોના ડેટા કેટલો સુરક્ષિત તે અંગે સંસદીય સમિતિએ કંપનીઓ પાસે માહિતી માંગી: અમેઝોન અને ગુગલને પણ નોટિસ: એમેઝોને સંસદીય સમિતી સમક્ષ હાજર થવાનો ઇન્કાર કર્યો
  • આઇપીએલમાં મુંબઇ સામે આજે ચેન્નાઇ હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર: ચેન્નાઇએ ૧૦ મેચ રમી જેમાંથી ફકત ૩ મેચ જીતી
  • ભાજપા સાથેનો ૪૦ વર્ષનો સંબંધ તોડી નાખી એકનાથ ખડસે (મહારાષ્ટ્ર માં)શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...