મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 25, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરની બાળાઓ ક્રિકેટમાં તેજસ્વીતા દેખાડી રહી છે: વધુ ૭ બાળાઓની પસંદગી

       ક્રિકેટના કાશી તરીકે જાણીતા જામનગરની બાળાઓ ક્રિકેટમાં તેજસ્વીતા દેખાડી રહી છે. આ અગાઉ નગરની ૭ બાળાઓ district કક્ષાની ટૂર્નામેન્ટ માટેની ટીમમાં પસંદ થયા પછી વધુ એક વખત અન્ય ૭ બાળાઓ અન્ડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પસંદગી પામી છે. અન્ડર-૧૯ ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ આગામી પહેલી સપ્ટેમ્બરથી અમદાવાદ ખાતે રમાશે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં જામનગરની ૭ બાળાઓ સતત ત્રીજા વર્ષે પસંદગી પામી છે. આ બાળાઓના નામો:  માહિનૂર ચૌહાણ, અનુષ્ઠા ગૌસ્વામી, પ્રિતિકા ગૌસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ અને રાબિયા સમા છે. આ તમામ બાળાઓ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈ રહી છે.

ધ્રોલનો આરોપી ચાર વર્ષે કચ્છથી ઝડપાયો

       ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનાં બે ગુન્હા અગાઉ નોંધાયા હતાં. આ શખ્સ ચાર વર્ષથી પોલીસનાં હાથમાં આવતો ન હતો. જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડે માવજી બાબુ ગાંગાસ નામનાં કચ્છનાં આ શખ્સને કચ્છનાં રાપરમાંથી શોધી કાઢ્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે

પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાનને આંગી

            જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરો ખાતે ભગવાનની પ્રતિમાઓને આંગી યોજવામાં આવી રહી છે. કાલે બુધવારે શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે તથા પટેલ કોલોની શેરી નં ૬ ખાતે આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે આંગી તથા ભાવના સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની તૈયારીઓ

       જામનગરમાં છેલ્લાં ૨૬ વર્ષથી શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની ઉજવણી દર વર્ષે વિવિધ થીમ પર કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રધ્ધાળુઓ દ્વારા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૩૧ ઓગસ્ટથી શરૂ થનારો આ મહોત્સવ ૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.      આયોજકો એઈટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા આ વર્ષે પ્રદૂષણમુક્ત પ્રતિમા બનાવવા માટે કંતાન, સફેદ કાપડ અને પાંચ ધાન્ય ઘઉં, ચોખા, બાજરી, મકાઈ તથા જુવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દર વર્ષે વિવિધ પ્રકારના વિક્રમી આયોજન માટે જાણીતો છે.      ગ્રૂપના સભ્યો કેવલસિંહ રાણા, દિલીપભાઈ વારોલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશભાઈ વાડોલિયા, બકુલ નાનાણી, પ્રિયાંકભાઈ શાહ, જયેશ જોષી, યોગેશભાઈ કણજારિયા, દિલીપસિંહ જેઠવા, પ્રતાપસિંહ ચૌહાણ, બિપીનભાઈ મ્હેતા, જિતુભાઈ ગઢવી, મિતેષ ઠાકોર, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ, વિપુલ પીઠડીયા, કુનાભાઈ નાનાણી તથા કપિલ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જામનગરમાં પર્યુષણ પર્વ નો પ્રારંભ

     જામનગરમાં ૨૪ ઓગસ્ટથી જૈનોનાં પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં બુધવારે શેઠજી જૈન દેરાસર ખાતે પૂજાનો ધર્મલાભ, બાજુનાં હોલમાં સત્સંગ તથા પટેલ કોલોની ખાતે આવેલા દેરાસર ખાતે પૂજા અર્ચના નાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.  

જૂનાગઢનો શખ્સ જામનગરમાં તમંચા સાથે ઝડપાયો

       જામનગર એસઓજી એ ગોલ્ડન સિટી પાછળનાં ભાગે આવાસ તરફનાં રસ્તા પરથી જૂનાગઢનાં અદનાન મુસ્તાક શેખ (રહે. સુખનાથ ચોક, પીસોરી ફળીયા શેરી નંબર ૧, જુનાગઢ) નામના શખ્સને એક તમંચા સાથે ઝડપી લીધો છે. આ શખ્સનો ધંધો મજૂરી હોવાનું જાહેર થયું છે. એસઓજી નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. એસઓજીએ આ શખ્સને સીટી સી ડિવીઝન પોલીસને સોપી આપેલ છે. પોલીસએ આર્મ્સ એકટનું ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરતાં રાજ્યભરના કર્મચારીઓ

       રાજ્યનાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓએ વધુ એક વખત ગુજરાત સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે, ૪૨૦૦ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓનાં અનુસંધાને રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ લેવામાં ન આવતાં ૨૩ ઓગસ્ટે પાટનગર ખાતે મોરચા અને મહામંડળની બેઠકમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.      આ જાહેરાત મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર નાં દિવસે કર્મચારીઓ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ રેલી અને આવેદનપત્ર નો કાર્યક્રમ આપશે. ૧૧ મીએ ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર, ૧૭મીએ રાજ્યભરમાં કર્મચારીઓની સામૂહિક રજા, ૨૨મીએ રાજ્યભરમાં તમામ કેડરના કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરશે. અને, ૩૦મી સપ્ટેમ્બરથી રાજ્યમાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.      સંઘનાં રાજય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ અગાઉ જામનગર તથા રાજકોટનો ૪૨૦૦ ગ્રેડ પે નો પ્રશ્ન ઉકલી ગયો છ...