જામનગરમાં છેલ્લાં ૨૬ વર્ષથી શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની ઉજવણી દર વર્ષે વિવિધ થીમ પર કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રધ્ધાળુઓ દ્વારા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૩૧ ઓગસ્ટથી શરૂ થનારો આ મહોત્સવ ૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.
આયોજકો એઈટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા આ વર્ષે પ્રદૂષણમુક્ત પ્રતિમા બનાવવા માટે કંતાન, સફેદ કાપડ અને પાંચ ધાન્ય ઘઉં, ચોખા, બાજરી, મકાઈ તથા જુવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દર વર્ષે વિવિધ પ્રકારના વિક્રમી આયોજન માટે જાણીતો છે.
ગ્રૂપના સભ્યો કેવલસિંહ રાણા, દિલીપભાઈ વારોલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશભાઈ વાડોલિયા, બકુલ નાનાણી, પ્રિયાંકભાઈ શાહ, જયેશ જોષી, યોગેશભાઈ કણજારિયા, દિલીપસિંહ જેઠવા, પ્રતાપસિંહ ચૌહાણ, બિપીનભાઈ મ્હેતા, જિતુભાઈ ગઢવી, મિતેષ ઠાકોર, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ, વિપુલ પીઠડીયા, કુનાભાઈ નાનાણી તથા કપિલ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો