મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 10, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાંચ વર્ષે આરોપી ઝડપાયો

       જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે પાંચ વર્ષથી રખડતાં ભટકતા લૂંટના આરોપીને શોધી કાઢયો છે.      આરોપીનું નામ ભરત ચૂનિયા ભાભોર છે જે દાહોદ જિલ્લાનો છે. તેને જામજોધપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં દાહોદ જિલ્લામાં થયેલી એક સામાન્ય લૂંટમાં આ આરોપી સંડોવયેલો હોવાનું જાહેર થયું છે.      આ કામગીરીમાં સ્કવોડના હંસરાજભાઇ, ધર્મેદ્રસિંહ, ગજેન્દ્રસિંહ વગેરે જોડાયા હતાં.

બિલ વગરના એલઇડી ટીવી સાથે બે ઝડપાયા

     જામનગર એલસીબીએ પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, લાલબંગલા સર્કલ નજીકથી બે શખ્સોને ઝડપી લીધાં છે. બે પીએઇસસઆઇ ગોજિયા તથા દેવમુરારીની ટીમે પકડેલાં આ શખ્સો બિલ વગરના, સોની કંપનીના ડુપ્લીકેટ ટીવી વેચવાનો ધંધો કરતાં હતાં.      માધવ પ્લાઝા બિલ્ડીંગમાં તેઓ ફ્રીડમ મેનેજમેન્ટ પ્રા.લિ. નામની પેઢી ચલાવતાં હતાં. પોલીસે ૧૦ એલઇડી ટીવી (રૂપિયા ૧,૫૦,૦૦૦) શંક પડતી મિલ્કત તરીકે કબજે લીધાં છે. આરોપીઓના નામો ધર્મેશ દેવજી વાડોલિયા (સત્યસાંઇનગર), ભાવેશ ગોવિંદ નકુમ (ગોકુલનગર).      આ દરોડામાં એલસીબી સ્ટાફના નિર્મળસિંહ, સંજયસિંહ, અશ્વિનભાઇ, હીરેનભાઇ, વનરાજભાઇ વગેરે જોડાયા હતાં.

ખાતેદાર ખેડૂત પરિવારને અકસ્માત વિમાના નાણાં ચૂકવાયા

     જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને અકસ્માત વિમાના નાણાંની ચૂકવણી કરવામાં આવી છે.      સ્વ. દેવેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, બાડા (અલિયા), સ્વ. ભૂપતસિંહ (કિશોરસિંહ) બાલુભા જાડેજા (નાની લાખાણી)ના અકસ્માત અવસાન પછી વિમાના આ નાણાં તેઓના પરિવારજનોને, રૂપિયા ૧૦ લાખનાં ચેક (વીમા વળતરની રકમ) જનાબા દેવેન્દ્રસિંહ જાડેજા, યાસુબા ભૂપતસિંહ જાડેજાને આપવામાં આવી છે.      માર્કેટ યાર્ડના તથા તાલુકા પંચાયતના આગેવાનો તેમજ યાર્ડના કર્મચારીઓ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યા છે.

ભાજપાના નવા પદાધિકારીઓ

     પ્રદેશ ભાજપાની સૂચના મુજબ, સોમવારે સાંજે જામનગર, દ્વારકા સહિત રાજ્યમાં પક્ષ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની નવી નિયુકિત કરવામાં આવી છે.      જામનગર શહેરમાં પ્રમુખ હસમુખભાઇ હીંડોચાના સ્થાને ડો. વિમલ કગથરા (પૂર્વ મહામંત્રી), જિલ્લા ભાજપા અધ્યક્ષ ચંદ્રેશ પટેલના સ્થાને રમેશભાઇ મુંગરા તથા દ્વારકા જિલ્લા ભાજપાના અધ્યક્ષ કાળુભા ચાવડાની જગ્યાએ ખિમભાઇ જોગલની નિયુકિત છે.      ભાજપા સંગઠનના તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલાં પ્રતિનિધિઓ વગેરેએ આ નિયુકિતઓને આવકારી છે. જામનગર શહેર ભાજપા કાર્યાલયએ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

સંક્ષિપ્ત સમાચાર

જામનગરની વિવિધ પોસ્ટ કચેરીઓમાં ૪-૫ દિવસથી ચેકબુકસ આવી નથી, જેને કારણે હજારો ગ્રાહકો પરેશાન છે. વરિષ્ઠ નાગરિકોને ધક્કા ખાવા પડે છે. લોકોને સમયસર નાણાં ન મળતાં પરેશાન છે. આ ઉપરાંત પોસ્ત કચેરીઓમાં સ્ટાફ પણ પૂરતો રાખવામાં આવ્યો નથી. મુખ્ય પોસ્ટ કચેરી (ચાંદીબજાર) માં અંદાજે બે લાખ ખાતેદારો છે. પોસ્ટની વડી કચેરીઓને વારંવારની રજૂઆતો છતાં ઘણી વખત આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. મુખ્ય પોસ્ટ કચેરીમાં ૭૫ ની સામે માત્ર ૨૭ નો સ્ટાફ છે. જિલ્લાની કુલ ૫૧ પોસ્ટ કચેરીમાં અંદાજે કુલ પાંચ લાખ જેટલાં ખાતેદારો છે. સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઓઇલ વેચાણના લાખ્ખો રૂપિયાના કૌભાંડમાં તેઓની સામેલગીરી છતી થઇ છે. આ અધિકારી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર હતાં ત્યારે જામનગર માર્કેટ યાર્ડ (હાપા)માં (ખોટાં બિલો દ્વારા) ગેરરીતિ થયેલી. આ પ્રકરણની તપાસ હાલના રજિસ્ટ્રારે ઝડપથી આગળ વધારવી જોઇએ. જામનગર એસટી ડેપોએ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી શ્રમિકો માટે દાહોદ-ગોધરા તરફ વધારે બસો ફાળવી છે. આ બસોમાં શ્રમિકો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે. ગાંધીધામના વિખ્યાંત નિલકંઠ ગ્રુપ (મીઠા ઉદ્યોગ, શ...