મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરની વિવિધ પોસ્ટ કચેરીઓમાં ૪-૫ દિવસથી ચેકબુકસ આવી નથી, જેને કારણે હજારો ગ્રાહકો પરેશાન છે. વરિષ્ઠ નાગરિકોને ધક્કા ખાવા પડે છે. લોકોને સમયસર નાણાં ન મળતાં પરેશાન છે. આ ઉપરાંત પોસ્ત કચેરીઓમાં સ્ટાફ પણ પૂરતો રાખવામાં આવ્યો નથી. મુખ્ય પોસ્ટ કચેરી (ચાંદીબજાર) માં અંદાજે બે લાખ ખાતેદારો છે. પોસ્ટની વડી કચેરીઓને વારંવારની રજૂઆતો છતાં ઘણી વખત આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. મુખ્ય પોસ્ટ કચેરીમાં ૭૫ ની સામે માત્ર ૨૭ નો સ્ટાફ છે. જિલ્લાની કુલ ૫૧ પોસ્ટ કચેરીમાં અંદાજે કુલ પાંચ લાખ જેટલાં ખાતેદારો છે.
  • સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઓઇલ વેચાણના લાખ્ખો રૂપિયાના કૌભાંડમાં તેઓની સામેલગીરી છતી થઇ છે. આ અધિકારી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર હતાં ત્યારે જામનગર માર્કેટ યાર્ડ (હાપા)માં (ખોટાં બિલો દ્વારા) ગેરરીતિ થયેલી. આ પ્રકરણની તપાસ હાલના રજિસ્ટ્રારે ઝડપથી આગળ વધારવી જોઇએ.
  • જામનગર એસટી ડેપોએ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી શ્રમિકો માટે દાહોદ-ગોધરા તરફ વધારે બસો ફાળવી છે. આ બસોમાં શ્રમિકો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે.
  • ગાંધીધામના વિખ્યાંત નિલકંઠ ગ્રુપ (મીઠા ઉદ્યોગ, શૈક્ષણિક સંકુલ, ઓઇલ પ્લાન્ટ તથા રહેણાંક મકાન)પર આવેકવેરા વિભાગના દરોડા: અમદાવાદ આવેકવેરા વિભાગના દરોડામાં રાજકોટ અને જામનગરની ટીમ જોડાઇ.
  • કચ્છમાં ભૂકંપના ૪ આંચકા: ભચાઉમાં ૨, દુધઇ અને રાપરમાં એક-એક આંચકો અનુભવાયો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...