- જામનગરની વિવિધ પોસ્ટ કચેરીઓમાં ૪-૫ દિવસથી ચેકબુકસ આવી નથી, જેને કારણે હજારો ગ્રાહકો પરેશાન છે. વરિષ્ઠ નાગરિકોને ધક્કા ખાવા પડે છે. લોકોને સમયસર નાણાં ન મળતાં પરેશાન છે. આ ઉપરાંત પોસ્ત કચેરીઓમાં સ્ટાફ પણ પૂરતો રાખવામાં આવ્યો નથી. મુખ્ય પોસ્ટ કચેરી (ચાંદીબજાર) માં અંદાજે બે લાખ ખાતેદારો છે. પોસ્ટની વડી કચેરીઓને વારંવારની રજૂઆતો છતાં ઘણી વખત આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. મુખ્ય પોસ્ટ કચેરીમાં ૭૫ ની સામે માત્ર ૨૭ નો સ્ટાફ છે. જિલ્લાની કુલ ૫૧ પોસ્ટ કચેરીમાં અંદાજે કુલ પાંચ લાખ જેટલાં ખાતેદારો છે.
- સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઓઇલ વેચાણના લાખ્ખો રૂપિયાના કૌભાંડમાં તેઓની સામેલગીરી છતી થઇ છે. આ અધિકારી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર હતાં ત્યારે જામનગર માર્કેટ યાર્ડ (હાપા)માં (ખોટાં બિલો દ્વારા) ગેરરીતિ થયેલી. આ પ્રકરણની તપાસ હાલના રજિસ્ટ્રારે ઝડપથી આગળ વધારવી જોઇએ.
- જામનગર એસટી ડેપોએ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી શ્રમિકો માટે દાહોદ-ગોધરા તરફ વધારે બસો ફાળવી છે. આ બસોમાં શ્રમિકો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે.
- ગાંધીધામના વિખ્યાંત નિલકંઠ ગ્રુપ (મીઠા ઉદ્યોગ, શૈક્ષણિક સંકુલ, ઓઇલ પ્લાન્ટ તથા રહેણાંક મકાન)પર આવેકવેરા વિભાગના દરોડા: અમદાવાદ આવેકવેરા વિભાગના દરોડામાં રાજકોટ અને જામનગરની ટીમ જોડાઇ.
- કચ્છમાં ભૂકંપના ૪ આંચકા: ભચાઉમાં ૨, દુધઇ અને રાપરમાં એક-એક આંચકો અનુભવાયો.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો