મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરની વિવિધ પોસ્ટ કચેરીઓમાં ૪-૫ દિવસથી ચેકબુકસ આવી નથી, જેને કારણે હજારો ગ્રાહકો પરેશાન છે. વરિષ્ઠ નાગરિકોને ધક્કા ખાવા પડે છે. લોકોને સમયસર નાણાં ન મળતાં પરેશાન છે. આ ઉપરાંત પોસ્ત કચેરીઓમાં સ્ટાફ પણ પૂરતો રાખવામાં આવ્યો નથી. મુખ્ય પોસ્ટ કચેરી (ચાંદીબજાર) માં અંદાજે બે લાખ ખાતેદારો છે. પોસ્ટની વડી કચેરીઓને વારંવારની રજૂઆતો છતાં ઘણી વખત આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. મુખ્ય પોસ્ટ કચેરીમાં ૭૫ ની સામે માત્ર ૨૭ નો સ્ટાફ છે. જિલ્લાની કુલ ૫૧ પોસ્ટ કચેરીમાં અંદાજે કુલ પાંચ લાખ જેટલાં ખાતેદારો છે.
  • સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઓઇલ વેચાણના લાખ્ખો રૂપિયાના કૌભાંડમાં તેઓની સામેલગીરી છતી થઇ છે. આ અધિકારી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર હતાં ત્યારે જામનગર માર્કેટ યાર્ડ (હાપા)માં (ખોટાં બિલો દ્વારા) ગેરરીતિ થયેલી. આ પ્રકરણની તપાસ હાલના રજિસ્ટ્રારે ઝડપથી આગળ વધારવી જોઇએ.
  • જામનગર એસટી ડેપોએ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી શ્રમિકો માટે દાહોદ-ગોધરા તરફ વધારે બસો ફાળવી છે. આ બસોમાં શ્રમિકો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે.
  • ગાંધીધામના વિખ્યાંત નિલકંઠ ગ્રુપ (મીઠા ઉદ્યોગ, શૈક્ષણિક સંકુલ, ઓઇલ પ્લાન્ટ તથા રહેણાંક મકાન)પર આવેકવેરા વિભાગના દરોડા: અમદાવાદ આવેકવેરા વિભાગના દરોડામાં રાજકોટ અને જામનગરની ટીમ જોડાઇ.
  • કચ્છમાં ભૂકંપના ૪ આંચકા: ભચાઉમાં ૨, દુધઇ અને રાપરમાં એક-એક આંચકો અનુભવાયો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...