મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 7, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

આઇપીએલ સિરીઝમાં મુંબઇની ટીમે વિજયની હેટ્રીક નોંધાવી છે. ૨૦ મા મેચમાં રાજસ્થાનની ટીમને ૫૭ રનથી પરાજય આપ્યો. રાજસ્થાની ટીમ માત્ર ૧૩૬ રને બનાવી શકી. ટાર્ગેટ ૧૯૪ રનનો હતો. ૬ પૈકી ૪ મેચ મુંબઇની ટીમ જિતી છે. નેટ રનરેટના મામલે આ સૌથી પ્રથમ ટીમ છે. મુંબઇ તરફથી બુમરાહે માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ લીધી છે. આરઆરનો પ્રારંભિક દેખાવ પણ નબળો જ હતો. મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવે જોરદાર બેટીંગ કર્યુ . ૪૭ દડામાં ૧૧ ચોગ્ગા, ૨ છગ્ગાની મદદથી તેણે અણનમ ૭૯ રન બનાવ્યા રાહુલે પાંચ મહિનાથી ચાલતા ભારત-ચીન વિવાદ અંગે કહ્યું, અમારૂં શાસન હોત તો ચીન આંખ ઉંચી કરવાનું સાહસ પણ ન દેખાડી શકયું હોય. ચીનને બહાર ફેંકવામાં અમારાં શાસનમાં માત્ર ૧૫ મિનિટ લાગે. સરકારની નીતિઓ ખોટી છે. નરેન્દ્ર મોદી સતામાં રહેનાર નેતા તરીકે આજે ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૩ વર્ષ મુખ્યમંત્રી, ૬ વર્ષથી પ્રધાનમંત્રી ભારતીય કોસ્ટ ગાર્ડની તાકાતમાં વધારો સાતમું જહાજ કાફલામાં જોડાયું. વિગ્રહ નામનું આ જહાજ હેલિકોપ્ટર અને તોપ પણ ધરાવે છે. ખાનગી કંપનીએ બનાવેલું આ પ્રથમ જહાજ છે. માર્ચ-૨૦૨૧ સુધી તેની ટ્રાયલ, ટેસ્ટીંગ ચાલશે, બાદમાં ...

અનુસૂચિત સમાજનું આંદોલન: સફાઇક કામગીરી બંધ

     ઉતરપ્રદેશના હાથરસકાંડના વિરોધમાં તથા કચ્છમાં અનુસુચિત જાતિના વકીલના હત્યારાઓને ઝડપી લેવાની માંગણી સાથે, જામનગરમાં ગઇકાલે મંગળવારે અનુસૂચિત જાતિના સેંકડો લોકોએ આંદોલન કયું<. લાલબંગલા સર્કલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલો.      આ બંને ઘટનાઓના વિરોધમાં મંગળવારે મહાનગરપાલિકાના ૨૫૦૦ સફાઇ કામદારોએ એક દિવસની હડતાળ રાખેલી. આગામી સમયમાં દેશભરમાં સફાઇ કામદારોની હડતાળ માટે એલાન થયું છે.      હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજા નહીં આપવામાં આવે તો ગુજરાતમાં "ભડકો" થશે એવી ચેતવણી પણ અનુસૂચિત સમાજે આપી છે. શ્રધ્ધાંજલિના આ કાર્યક્રમમાં અગ્રણીઓ અમિત પરમાર, હરિશ ચૌહાણ, મહેશ બાંબરિયા વગેરે હાજર રહ્યા હતાં.