મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર


  • આઇપીએલ સિરીઝમાં મુંબઇની ટીમે વિજયની હેટ્રીક નોંધાવી છે. ૨૦ મા મેચમાં રાજસ્થાનની ટીમને ૫૭ રનથી પરાજય આપ્યો. રાજસ્થાની ટીમ માત્ર ૧૩૬ રને બનાવી શકી. ટાર્ગેટ ૧૯૪ રનનો હતો. ૬ પૈકી ૪ મેચ મુંબઇની ટીમ જિતી છે. નેટ રનરેટના મામલે આ સૌથી પ્રથમ ટીમ છે. મુંબઇ તરફથી બુમરાહે માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ લીધી છે. આરઆરનો પ્રારંભિક દેખાવ પણ નબળો જ હતો. મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવે જોરદાર બેટીંગ કર્યુ . ૪૭ દડામાં ૧૧ ચોગ્ગા, ૨ છગ્ગાની મદદથી તેણે અણનમ ૭૯ રન બનાવ્યા
  • રાહુલે પાંચ મહિનાથી ચાલતા ભારત-ચીન વિવાદ અંગે કહ્યું, અમારૂં શાસન હોત તો ચીન આંખ ઉંચી કરવાનું સાહસ પણ ન દેખાડી શકયું હોય. ચીનને બહાર ફેંકવામાં અમારાં શાસનમાં માત્ર ૧૫ મિનિટ લાગે. સરકારની નીતિઓ ખોટી છે.
  • નરેન્દ્ર મોદી સતામાં રહેનાર નેતા તરીકે આજે ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૩ વર્ષ મુખ્યમંત્રી, ૬ વર્ષથી પ્રધાનમંત્રી
  • ભારતીય કોસ્ટ ગાર્ડની તાકાતમાં વધારો સાતમું જહાજ કાફલામાં જોડાયું. વિગ્રહ નામનું આ જહાજ હેલિકોપ્ટર અને તોપ પણ ધરાવે છે. ખાનગી કંપનીએ બનાવેલું આ પ્રથમ જહાજ છે. માર્ચ-૨૦૨૧ સુધી તેની ટ્રાયલ, ટેસ્ટીંગ ચાલશે, બાદમાં દક્ષિણ ભારતમાં તેને કામગીરી સોંપવામાં આવશે
  • કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ૧૨ કેન્દ્રીય કાનૂન લાગુ કર્યા: જાહેરનામું બહાર પડયું
  • દેશના ૬ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયલોટ પ્રોજેકટ પર કામગીરી ચાલી રહી છે.
  • જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વરવાળાની સગીરા પર ૬ મહિનામાં બે વખત દુષ્કર્મ આઘાતથી સગીરાના પિતાએ આત્મહત્યા કરી લીધી: ૬ સપ્ટેમ્બરે મોડી રાત્રે ફરિયાદ નોંધાઇ: કુતિયાણાના અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
  • જામનગરના ચકચારી ગેંગરેપની પિડીતાના પરિવારને રૂા. ૩.૭૫ લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ થયો છે. પોકસો એકટ અન્વયે કેસના અંતિમ તબક્કે જો વળતર ચૂકવવાનું થશે તો આ વળતર તેમાંથી બાદ કરવામાં આવશે. ઓપન કોર્ટમાં આ ચુકાદો સ્પેશિયલ જજ પંકજકુમાર રાવલ દ્વારા આપવામાં આવ્યો છે.
  • ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક નિયામકે જણાવ્યું છે કે, લોકો વાલ્વ તથા ફીલ્ટરવાળા માસ્કનો ઉપયોગ પણ કરે છે. કોરોના વાયરસ સામે આ માસ્ક પૂરતું રક્ષણ આપતાં નથી. ભારત સરકારની ભલામણ પણ આવી જ છે. 
  • હાથરસકાંડનો વિરોધ દેશભરમાં ચાલુ છે ત્યારે ખુલાસો એવો થયો છે કે, હાથરસકાંડ પોતે જ કાવતરૂં છે. ૪ શખ્સોની મથુરાથી ધરપકડ કરવામાં આવી છે. મૃતક પિડીતાના ભાઇ તથા આરોપી વચ્ચે વારંવાર ફોન પણ થયેલા છે. આરોપીઓના વકીલ કહે છે: પિડીતાના ભાઇએ જ પિડીતાને મારી નાખી છે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટે આ મામલામાં ઉતરપ્રદેશ સરકારને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.
  • આઇપીએલ સિરીઝમાં મુંબઇની ટીમે વિજયની હેટ્રીક નોંધાવી છે. ૨૦ મા મેચમાં રાજસ્થાનની ટીમને ૫૭ રનથી પરાજય આપ્યો. રાજસ્થાની ટીમ માત્ર ૧૩૬ રને બનાવી શકી. ટાર્ગેટ ૧૯૪ રનનો હતો. ૬ પૈકી ૪ મેચ મુંબઇની ટીમ જિતી છે. નેટ રનરેટના મામલે આ સૌથી પ્રથમ ટીમ છે. મુંબઇ તરફથી બુમરાહે માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ લીધી છે. આરઆરનો પ્રારંભિક દેખાવ પણ નબળો જ હતો. મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવે જોરદાર બેટીંગ કર્યુ. ૪૭ દડામાં ૧૧ ચોગ્ગા, ૨ છગ્ગાની મદદથી તેણે અણનમ ૭૯ રન બનાવ્યા
  • રાહુલે પાંચ મહિનાથી ચાલતા ભારત-ચીન વિવાદ અંગે કહ્યું, અમારૂં શાસન હોત તો ચીન આંખ ઉંચી કરવાનું સાહસ પણ ન દેખાડી શકયું હોય. ચીનને બહાર ફેંકવામાં અમારાં શાસનમાં માત્ર ૧૫ મિનિટ લાગે. સરકારની નીતિઓ ખોટી છે.
  • નરેન્દ્ર મોદી સતામાં રહેનાર નેતા તરીકે આજે ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૩ વર્ષ મુખ્યમંત્રી, ૬ વર્ષથી પ્રધાનમંત્રી
  • ભારતીય કોસ્ટ ગાર્ડની તાકાતમાં વધારો સાતમું જહાજ કાફલામાં જોડાયું. વિગ્રહ નામનું આ જહાજ હેલિકોપ્ટર અને તોપ પણ ધરાવે છે. ખાનગી કંપનીએ બનાવેલું આ પ્રથમ જહાજ છે. માર્ચ-૨૦૨૧ સુધી તેની ટ્રાયલ, ટેસ્ટીંગ ચાલશે, બાદમાં દક્ષિણ ભારતમાં તેને કામગીરી સોંપવામાં આવશે
  • કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ૧૨ કેન્દ્રીય કાનૂન લાગુ કર્યા: જાહેરનામું બહાર પડયું
  • દેશના ૬ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયલોટ પ્રોજેકટ પર કામગીરી ચાલી રહી છે.
  • જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વરવાળાની સગીરા પર ૬ મહિનામાં બે વખત દુષ્કર્મ આઘાતથી સગીરાના પિતાએ આત્મહત્યા કરી લીધી: ૬ સપ્ટેમ્બરે મોડી રાત્રે ફરિયાદ નોંધાઇ: કુતિયાણાના અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
  • જામનગરના ચકચારી ગેંગરેપની પિડીતાના પરિવારને રૂા. ૩.૭૫ લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ થયો છે. પોકસો એકટ અન્વયે કેસના અંતિમ તબક્કે જો વળતર ચૂકવવાનું થશે તો આ વળતર તેમાંથી બાદ કરવામાં આવશે. ઓપન કોર્ટમાં આ ચુકાદો સ્પેશિયલ જજ પંકજકુમાર રાવલ દ્વારા આપવામાં આવ્યો છે.
  • ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક નિયામકે જણાવ્યું છે કે, લોકો વાલ્વ તથા ફીલ્ટરવાળા માસ્કનો ઉપયોગ પણ કરે છે. કોરોના વાયરસ સામે આ માસ્ક પૂરતું રક્ષણ આપતાં નથી. ભારત સરકારની ભલામણ પણ આવી જ છે. 
  • હાથરસકાંડનો વિરોધ દેશભરમાં ચાલુ છે ત્યારે ખુલાસો એવો થયો છે કે, હાથરસકાંડ પોતે જ કાવતરૂં છે. ૪ શખ્સોની મથુરાથી ધરપકડ કરવામાં આવી છે. મૃતક પિડીતાના ભાઇ તથા આરોપી વચ્ચે વારંવાર ફોન પણ થયેલા છે. આરોપીઓના વકીલ કહે છે: પિડીતાના ભાઇએ જ પિડીતાને મારી નાખી છે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટે આ મામલામાં ઉતરપ્રદેશ સરકારને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...