મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 27, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મગફળી અને સીંગતેલનાં આ ઝેરી ચકકરને, આ રીતે સમજો !

     દર વર્ષે દિવાળીનાં પર્વો પહેલાંના સમયગાળામાં અખબારો અને ટીવી ગાજતા અને ગૂંજતા હોય છે કે, આગામી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની હોબેશ ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી અગાઉથી તારીખો પણ જાહેર કરવામાં આવતી હોય છે. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્કેટ યાર્ડ મારફતે ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા સરકારી તંત્રો મારફતે ગોઠવવામાં આવતી હોય છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે રાતદિવસ કામ કરે છે, એ પ્રકારના પ્રચાર માટે બધાં જ સંબંધિતો ઓવરટાઈમ કરતાં હોય છે. ત્યારબાદ, વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી રહે છે. દરમિયાન, ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવે જાહેર હરાજીમાં પણ લાખો ટન મગફળી વેચાતી રહે છે. સારી મગફળી ખાનગી વેપારીઓ મારફતે ખરીદાતી રહે છે અને નબળી મગફળી, ઘણાં કિસ્સાઓમાં કૌભાંડનાં માધ્યમથી, સરકારી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદતાં રહે છે. ખેડૂતોનાં ઘરોમાં ચિક્કાર નાણું ઠલવાતું રહે છે.      તમે ક્યારેય વિચાર કર્યો છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત જણસો શા માટે ખરીદવી જોઈએ ?!      જે ખેડૂતો આર...

યાર્ડમાં વિક્રમી ભાવથી જીરૂનુ વેચાણ થયું

       જામનગર યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે કે, શુક્રવારે યાર્ડ ખાતે લાલપુરના એક ખેડૂતને હરાજીમાં જીરૂનો પ્રતિમણ રૂ. ૪૭૩૦ નો ભાવ મળ્યો છે, જે સૌરાષ્ટ્રનો અત્યાર સુધીમાં સૌથી ઉંચો ભાવ છે. આ ખેડૂતે ૩૧ ગુણી જીરૂનુ આ ભાવે વેચાણ કર્યું છે. યાર્ડમાં ગુરૂવારે જીરૂની કુલ ૧૩૦૮ ગુણીની આવક થવા પામી હતી.

જિલ્લાના ૬ શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

     શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે જામનગર જિલ્લાના ૬ શિક્ષકોને સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.      જામનગર જિલ્લાના ત્રણ શિક્ષકો જેમાં જોડિયા તાલુકાની  હડિયાણા કન્યા શાળાના પ્રાથમિક શિક્ષક દેવાંગી માધવજી બારૈયા, યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલયના માધ્યમિક શિક્ષક મમતાબેન ધીરજલાલ જોશી,  આર. સી. પીઠડ શાળાના પ્રાથમિક સી. આર. સી. વીરડા અજયકુમાર જીવણભાઈને જિલ્લા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. તથા જોડિયા તાલુકાની જશાપર પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કલ્પેશકુમાર બટુકભાઈ ડાંગર, નેસડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક ભાવેશ રામજીભાઇ પનારા, ધ્રોલ તાલુકાની ખારવા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક પંકજકુમાર દિનેશભાઇ જોશીને તાલુકા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.  

શ્રાવણી લોકમેળા દરમિયાન ફૂડ શાખાએ કરેલી કામગીરી

     જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાએ તાજેતરમાં લોકમેળામાં ફૂડ સેફ્ટી માટે આ પ્રકારની કામગીરી કરી હતી. ફૂડશાખાએ બાલાજી     ફાસ્ટફૂડમાં ૧૦ કિલો વાસી બટેટા, ૨ કિલો મન્ચૂરિયન, ૩ કિલો તૈયાર દાળ, ૨ કિલો ભાજી, ૨ કિલો બાફેલાં શાકભાજી તથા ૧૦ કિલો ચટણી, લાલજીભાઈ ભેલવાળાની ૨ કિલો બ્રેડ, આશાપુરા પાઉંભાજીમાંથી ૧૦ કિલો તેલ તથા બિલનાથમાંથી ૩ કિલો બાફેલાં બટાકા વાસી મળી આવતાં આ બધી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.      આ ઉપરાંત કાલાવડ નાકા બહારનાં વિસ્તારમાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ તથા એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં વિપુલ કેટરર્સનાં મેન્યુફેકચરિંગ યુનિટની તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી બરફની ફેકટરીઓની વિઝિટ કરી હતી. જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાંક ધંધાર્થીઓ ને નોટિસ આપવામાં આવી હતી.  વિપુલ ઉપરાંત શિવશક્તિ અને અંબિકા ડેરીની કુલ ૩૦ કિલો મીઠાઈ વાસી જણાતાં આ મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.  

આશ્રયસ્થાનો ( શેલ્ટર હોમ) ની સુવિધાઓ વધારવા સમીક્ષા બેઠક યોજવામાં આવી

     ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનો ખાતે સારી રીતે સુવિધાઓ સાથે જિવી શકે તે માટે રાજ્યકક્ષાની શેલ્ટર હોમ મોનિટરીંગ કમિટી કાર્યરત છે. આ કમિટીના ચેરમેન પી.કે. તનેજાના અધ્યક્ષસ્થાને ૨૬ મીએ જામનગર કોર્પોરેશનમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેરમેન નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી ડેપ્યુટી કમિશનર બી.એન.જાનીએ શહેરમાં આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં ચેરમેન દ્વારા કોર્પોરેશનને કેટલાંક સૂચનો કરવામાં આવ્યા હતાં.      ચેરમેને જણાવ્યું હતું કે, હાપા ખાતે આવેલા શેલ્ટર હોમનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે સુનિશ્ચિત કરવું, આ સ્થળે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા શેલ્ટર હોમ ખાતે ચાલતી તમામ કામગીરીનું ડિજિટાઈઝેશન કરવું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન શહેરમાં જે લોકો ફૂટપાથ પર રહેતાં હોય તે લોકો પૈકી વધુમાં વધુ લોકોને પોલીસ વિભાગની મદદ વડે શેલ્ટર હોમ ખાતે ખસેડવા, દરેક શેલ્ટર હોમ નું સરળ નામકરણ કરવું તથા સૌ સંબંધિત અધિકારીઓને શેલ્ટર હોમની વ્યવસ્થા અંગે માહિતગાર કરવા. આ સાથે ચેરમ...

જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી

     રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.      આ તકે મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળી હતી તેમજ જરૂરી ચર્ચા કરી ગ્રામજનોની રજૂઆત પરત્વે સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.તેમજ ઉપસ્થિત સૌ કોઈને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી માહિતગાર કર્યા હતા.      આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત સદસ્ય  નંદલાલભાઈ ભેંસદળીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ  વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા સંઘના પ્રમુખ  મુકુંદભાઈ સભાયા, કાર્યપાલક ઇજનેર બી.કે. છૈયા તેમજ ખીજડીયા, નાની બાણુગર, શેખપાટ, મોટીબાણુગર, જાંબુડા, ધુવાવ વગેરે ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - સમીક્ષા બેઠક

     જામનગર : તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર  આર.બી.બારડ  (ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગર)એ આજરોજ નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી  કે.એસ. ગઢવી, કલેકટર  ડો.સૌરભ પારઘી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક યોજી જરુરી સૂચનો માગવામાં આવ્યા હતા.      આ રિવ્યૂ બેઠકમાં આર.બી. બારડે અધિકારીઓને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવીને મતદારોની નોંધણી કરવી , આધારકાર્ડ લિંક કરાવવા, કોલેજોમાં જઈ ને 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવાઓના મતદારયાદીમાં નામ નોંધવા, ડોર ટુ ડોર સર્વે કરવું વગેરે કામગીરી અંગેની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.      આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિક...