મુખ્ય સામગ્રી પર જાઓ

આશ્રયસ્થાનો ( શેલ્ટર હોમ) ની સુવિધાઓ વધારવા સમીક્ષા બેઠક યોજવામાં આવી

    ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનો ખાતે સારી રીતે સુવિધાઓ સાથે જિવી શકે તે માટે રાજ્યકક્ષાની શેલ્ટર હોમ મોનિટરીંગ કમિટી કાર્યરત છે. આ કમિટીના ચેરમેન પી.કે. તનેજાના અધ્યક્ષસ્થાને ૨૬ મીએ જામનગર કોર્પોરેશનમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેરમેન નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી ડેપ્યુટી કમિશનર બી.એન.જાનીએ શહેરમાં આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં ચેરમેન દ્વારા કોર્પોરેશનને કેટલાંક સૂચનો કરવામાં આવ્યા હતાં.
    ચેરમેને જણાવ્યું હતું કે, હાપા ખાતે આવેલા શેલ્ટર હોમનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે સુનિશ્ચિત કરવું, આ સ્થળે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા શેલ્ટર હોમ ખાતે ચાલતી તમામ કામગીરીનું ડિજિટાઈઝેશન કરવું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન શહેરમાં જે લોકો ફૂટપાથ પર રહેતાં હોય તે લોકો પૈકી વધુમાં વધુ લોકોને પોલીસ વિભાગની મદદ વડે શેલ્ટર હોમ ખાતે ખસેડવા, દરેક શેલ્ટર હોમ નું સરળ નામકરણ કરવું તથા સૌ સંબંધિત અધિકારીઓને શેલ્ટર હોમની વ્યવસ્થા અંગે માહિતગાર કરવા. આ સાથે ચેરમેને જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ ખાતે રહેતાં લોકો સરળતાથી આજિવિકા મેળવી શકે તે માટે તેઓની સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રયાસો કરવા અને સરકારની વિવિધ ૨૧ યોજનાઓનો આ લોકોને લાભ મળે તે માટે વ્યવસ્થા ગોઠવવી.
    આ બેઠક પૂર્ણ થયા પછી સૌ અધિકારીઓએ રણમલ તળાવ પરિસર, મ્યૂઝિયમ તથા હાપા ખાતે આવેલા શેલ્ટર હોમની વ્યવસ્થા નિહાળી હતી. આ ઉપરાંત બેડી ખાતેનાં શેલ્ટર હોમ નું કામ ઝડપથી પૂર્ણ થાય અને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવી શકે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતાં.
    આ બેઠકમાં રાજ્ય કક્ષાની કમિટીના સભ્ય ડો. ભૂષણ પૂનાની અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
    આ બેઠકમાં GULM વિભાગના ડેપ્યુટી ડાયરેકટર સુભાષ કટારા ઉપરાંત સ્ટેટ મિશનના વડા સિધ્ધાર્થ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ, યુસીડી વિભાગના કન્ટ્રોલીંગ અધિકારી જિગ્નેશ નિર્મળ તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ અશોક જોષી વગેરે હાજર રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...