મુખ્ય સામગ્રી પર જાઓ

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - સમીક્ષા બેઠક

    જામનગર : તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર  આર.બી.બારડ  (ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગર)એ આજરોજ નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી  કે.એસ. ગઢવી, કલેકટર  ડો.સૌરભ પારઘી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક યોજી જરુરી સૂચનો માગવામાં આવ્યા હતા.

    આ રિવ્યૂ બેઠકમાં આર.બી. બારડે અધિકારીઓને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવીને મતદારોની નોંધણી કરવી , આધારકાર્ડ લિંક કરાવવા, કોલેજોમાં જઈ ને 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવાઓના મતદારયાદીમાં નામ નોંધવા, ડોર ટુ ડોર સર્વે કરવું વગેરે કામગીરી અંગેની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.

    આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  કે.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર  બી.એન. ખેર , પ્રાંત અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...