જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાએ તાજેતરમાં લોકમેળામાં ફૂડ સેફ્ટી માટે આ પ્રકારની કામગીરી કરી હતી. ફૂડશાખાએ બાલાજી ફાસ્ટફૂડમાં ૧૦ કિલો વાસી બટેટા, ૨ કિલો મન્ચૂરિયન, ૩ કિલો તૈયાર દાળ, ૨ કિલો ભાજી, ૨ કિલો બાફેલાં શાકભાજી તથા ૧૦ કિલો ચટણી, લાલજીભાઈ ભેલવાળાની ૨ કિલો બ્રેડ, આશાપુરા પાઉંભાજીમાંથી ૧૦ કિલો તેલ તથા બિલનાથમાંથી ૩ કિલો બાફેલાં બટાકા વાસી મળી આવતાં આ બધી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાલાવડ નાકા બહારનાં વિસ્તારમાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ તથા એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં વિપુલ કેટરર્સનાં મેન્યુફેકચરિંગ યુનિટની તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી બરફની ફેકટરીઓની વિઝિટ કરી હતી. જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાંક ધંધાર્થીઓ ને નોટિસ આપવામાં આવી હતી. વિપુલ ઉપરાંત શિવશક્તિ અને અંબિકા ડેરીની કુલ ૩૦ કિલો મીઠાઈ વાસી જણાતાં આ મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો