દેશનાં કરોડો મોબાઇલધારકો જાણે છે કે, ટેલિકોમ કંપનીઓ પ્રિ-પેઈડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને રીતસર છેતરે છે. છતાં કોઈ બોલતું નથી. સૌ ચૂપ. સરકારની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા ટ્રાય (ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા) માત્ર નિવેદન, જાહેરાત કરે છે, સૂચના આપી બેસી જાય છે. કસૂરવાર કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની તત્પરતા દાખવતી નથી. દાંત અને નખ વિનાની સંસ્થા ટ્રાય બડી બડી વાતો કરવામાં મશગૂલ અને માહેર છે. મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને ૩૦/૩૧ દિવસનાં રિચાર્જને બદલે માત્ર ૨૮ દિવસનાં રિચાર્જ આપે. અને, ૨૮ દિવસ પૂર્ણ થવામાં ૨/૩ દિવસ બાકી હોય ત્યારથી ગ્રાહકનું માથું પકવવાનુ શરૂ કરી દે છે. ચોરી પર માનસિક ત્રાસની સીનાજોરી. ૨૭ મી જાન્યુઆરીએ ટ્રાયએ એવું જાહેર કરેલું કે, હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને ૩૦ દિવસનાં પ્લાન ઓફર કરવાનાં રહેશે. કેમ કે, ગ્રાહકોને ૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ કરાવવાની ફરજ પડે છે. આ રીતે કંપનીઓએ અબજો રૂપિયા એકત્ર કરી લીધાં, ટ્રાય દ્વારા કંપનીઓને કોઈ જ પેનલ્ટી નહીં. ગ્રાહકોને કોઈ રિફં...