જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા જિલ્લા કચેરીએથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની વિશેષતા તિરંગાની થીમ ઉપર હતી. હોમગાર્ડઝના ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કર્યો હતો તેમ જ 400 જેટલા હોમગાર્ડના જવાનો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાને પ્રસ્થાન કરાવવા સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા , એચ જે લાલ ટ્રસ્ટ નાં જીતુભાઈ લાલ, હોમગાર્ડ કમાન્ડંટ સુરેશ ભીંડી તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા અને ગિરીશ સરવૈયા સહિત અગ્રણીઓએ આ યાત્રાને હોમગાર્ડ કચેરીથી પ્રસ્થાન કરાવી હતી બાદમાં આ રેલી ત્યાંથી સાત રસ્તા જોલી બંગલો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો