સરકારની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા ટ્રાય (ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા) માત્ર નિવેદન, જાહેરાત કરે છે, સૂચના આપી બેસી જાય છે. કસૂરવાર કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની તત્પરતા દાખવતી નથી. દાંત અને નખ વિનાની સંસ્થા ટ્રાય બડી બડી વાતો કરવામાં મશગૂલ અને માહેર છે.
મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને ૩૦/૩૧ દિવસનાં રિચાર્જને બદલે માત્ર ૨૮ દિવસનાં રિચાર્જ આપે. અને, ૨૮ દિવસ પૂર્ણ થવામાં ૨/૩ દિવસ બાકી હોય ત્યારથી ગ્રાહકનું માથું પકવવાનુ શરૂ કરી દે છે. ચોરી પર માનસિક ત્રાસની સીનાજોરી.
૨૭ મી જાન્યુઆરીએ ટ્રાયએ એવું જાહેર કરેલું કે, હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને ૩૦ દિવસનાં પ્લાન ઓફર કરવાનાં રહેશે. કેમ કે, ગ્રાહકોને ૧૨ મહિનામાં ૧૩ વખત રિચાર્જ કરાવવાની ફરજ પડે છે.
આ રીતે કંપનીઓએ અબજો રૂપિયા એકત્ર કરી લીધાં, ટ્રાય દ્વારા કંપનીઓને કોઈ જ પેનલ્ટી નહીં. ગ્રાહકોને કોઈ રિફંડ નહીં.
ટ્રાયએ કહેલું: કંપનીઓએ છ માસમાં આ સૂચનાનો અમલ કરવાનો રહેશે. કંપનીઓ આ સૂચના ઘોળીને પી ગઈ છે. આ સૂચનાને સાડા છ મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે.
ગ્રાહકમિત્રો ટ્રાયનાં ભરોસે બેસવાનો કોઈ મતલબ નથી. દેશભરમાંથી કરોડો ફરિયાદ થવી જોઈએ. લૂંટ અટકાવીશુ નહીં તો કાયમ લૂંટાતા જ રહીશું.
ટ્રાયનાં આ આદેશ પછી એરટેલ સહિતની કંપનીઓએ ૩૧ દિવસની વેલિડીટીવાળા કેટલાંક પ્લાન બજારમાં મૂક્યા છે પરંતુ તેમાં વધુ ડેટાની લાલચ આપી પ્લાન મોંઘા બનાવી કંપનીઓએ લૂંટ ચાલુ રાખી છે. ભાવબાંધણુ થવું જોઈએ. કંપનીઓ કાર્ટેલ રચી ગ્રાહકોને લૂંટી રહી છે. પેટ્રોપેદાશોની માફક આ ક્ષેત્રમાં પણ લૂંટ જાણે કે કાયમી બની ચૂકી છે.
અને, આપ સૌની જાણ ખાતર -- આગામી દિવસોમાં વીજક્ષેત્રને પણ સરકાર બજારહવાલેૂ કરવા તૈયારીઓ કરી ચૂકી છે. પેટ્રોપેદાશો, ટેલિકોમની માફક વીજક્ષેત્રમા પણ ડામ માટે તૈયારી રાખજો.
© સંજય આઝાદ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો