કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બજરંગપૂર, વિજયપુર, ભરતપુરથી ઊંડ ડેમ સુધીના નિર્માણાધિન રોડનું ખાતમુહર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સ્ટેટ હાઇવેથી બજરંગપૂર ૨ કિમી, બજરંગપુરથી વિજયપુર સુધી ૧.૩૦ કિમી અને ભરતપુરથી ઊંડ ડેમ એપ્રોચ રોડ ૧.૫૦ કિમી સુધીના કુલ રૂ. ૨ કરોડ ૮૦ લાખના ખર્ચે પાકા રસ્તા, વાઇડનિંગ અને રિસરફેસના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કારોબારી સમિતી અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત સદસ્ય કાંતિલાલ દુધાગરા તથા જિલ્લા તથા તાલુકા ભાજપાનાં હોદેદારો વગેરે હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો