મુખ્ય સામગ્રી પર જાઓ

વિવિધ ગામોમાં સ્લેબ ડ્રેઈન તેમજ સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું ખાતમૂહર્ત


    કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી, મિયાત્રા અને નાના થાવરિયા ગામોને જોડતા રસ્તા પર ૭ મીટરનો સ્લેબ   ડ્રેઈન અને માઈનોર બ્રીજનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૮૬ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈન અને ૪ ગાળાના માઇનોર બ્રિજનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષિમંત્રીના હસ્તે  યાત્રાધામ સપડા ગણપતિ મંદિર ખાતે સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા અને મંદિર સુધીના પાકા રસ્તાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સપડા ગામના આ ૧.૮ કિમી રસ્તાના રૂ. ૧ કરોડથી પણ વધુના ખર્ચે માટી કામ, નાળા પુલિયા સમારકામ અને ડામરકામ હાથ ધરવામાં આવશે.

    આ વિવિધ ખાતમુહર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ  ભરતભાઈ બોરસદિયા,  કાર્યપાલક ઇજનેર કે.બી. છૈયા, મિયાત્રા  સરપંચ  ભરતસિંહ કંચવા, ઉપ સરપંચ  દેવર્ષિભાઈ, માજી સરપંચ  લખુભા, સપડા  સરપંચ નિલેશસિંહ,  ઉપ સરપંચ  અનિરુદ્ધસિંહ, માજી સરપંચ  મનુભા જાડેજા, ચેલા  સરપંચ  રાજભા ભટ્ટી તથા  આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


 

ટિપ્પણીઓ