મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 20, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આંગડિયા લૂંટમાં ફરિયાદી જ આરોપી: ઝડપાઈ ગયો....

     તાજેતરમાં જામનગરમાં દરબારગઢ નજીક આવેલી ઈશ્વર બેચર નામની આંગડિયા પેઢીમાં રૂ. પાંચ લાખની ચોરી થઇ છે એવી જાહેરાત પછી આ પેઢીનો ફરિયાદી કર્મચારી હરિસિંહ આણદાજી વાઘેલા ખુદ જ આરોપી છે એવું બે દિવસ પહેલાં જાહેર થયાં પછી, મહેસાણાનો આ શખ્સ ભાગવાની તૈયારીમાં હતો ત્યારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ હરિયાણીની ટીમે આ શખ્સને લાલપુર બાયપાસ નજીકથી ઝડપી લીધો છે. તેની પાસેથી માત્ર રૂ. ૫૫,૦૦૦ ની રોકડ રકમ પકડાઈ છે.

એસટી કર્મચારીઓનું પણ આંદોલન શરૂ...

     જામનગર સહિત રાજ્યભરમાં હજારો એસટી કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભે વધુ એક વખત આંદોલનનો પ્રારંભ કર્યો છે. સોમવારે એસટી સંકુલ બહાર કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર કર્યો હતો. આગામી શુક્રવારે કર્મચારીઓ સામૂહિક રજા પર જતાં રહેશે. તેથી એસટી બસનાં પૈડાં થંભી જશે.      જામનગર સહિત રાજ્યભરમાં આ આંદોલન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન ( મજૂર મહાજન), રાજય એસટી કર્મચારી મહામંડળ ( ઈનટુક) તથા ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ ( બીએમએસ) નાં નેજા હેઠળ ચાલી રહ્યું છે.  

વીજતંત્રનાં અધિકારીઓ અને કર્મચારીઓ સ્પર્ધાઓમાં વિજેતા

      તાજેતરમાં વીજતંત્રમાં ઈન્ટરસર્કલ તથા કંપની લેવલે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં જામનગર વીજતંત્રનાં કર્મચારીઓ વિજેતા થતાં મુખ્ય અધિકારી કે.સી. પરીખ દ્વારા આ વિજેતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધાઓમાં ચેસમાં વર્ષા ગઢિયા તથા એ.એ.જાડેજા, કેરમમાં આર.પી.ટાંક, ગુણવંત કે. સોઢા, છાયા ગોસ્વામી તથા પ્રિયા પટેલ ઉપરાંત બેડમિન્ટનમાં ડબલ ચેમ્પિયન કે.સી.ચૌહાણ અને એ.એચ.મિયાવા અને સિંગલમાં આયાઝ મિયાવા રનર અપ રહ્યા હતા. આ સાથે સંગીતા જેઠવા ટેબલ ટેનિસ માં સિંગલ માં ચેમ્પિયન તથા ડબલમા છાયા ગોસ્વામી સાથે રનર અપ રહ્યા હતા. આ સન્માન સમારોહનું સંચાલન પ્રચારમંત્રી દિપક ત્રિવેદીએ કર્યું હતું.

સેન્ટ્રલ બેન્કનાં કર્મચારીઓ હડતાળ પર

     .      જામનગર સહિત દેશભરમાં ૧૩,૦૦૦ થી વધુ શાખાઓ ધરાવતી સેન્ટ્રલ બેન્કમાં તાજેતરમાં કર્મચારીઓની સામૂહિક અને આડેધડ બદલીઓ કરવામાં આવી રહી હોય, કર્મચારીઓએ સોમવારે તથા મંગળવારે હડતાળ જાહેર કરી છે. મુખ્ય શાખા સમક્ષ કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે યુનિયનનાં જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયા, મનોજ મેહતા તથા હેમાંગ જેઠવા વગેરે હાજર રહ્યા હતાં.  

વનસ્ટોપ સેન્ટરમાં મહિલાને આશરો

       એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી માહિતી આપેલ કે, સુરતમાં એક મહિલા  ડુમસ રોડ સરગમ શોપીંગ સેન્ટર ફૂટપાથ પર સૂઇ રહયા છે.    જેથી ઉમરા અભયમ રેસ્કયું ટીમ સ્થળ પર પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ ભુલા પડેલ છે જેઓ ને મદદ ની જરૂર હોવાથી ઓ.એસ સી માં સુરક્ષિત  આશ્રય અપાવવામાં આવેલ છે.      મળતી માહિતી મુજબ  અજાણી મહિલા 2/3દીવસ થી  ફૂટપાથ પર સૂઇ રહેે છે મહિલાના મદદ કરવાના આશય થી  એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇન મા જાણ કરેલ અભયમ રેસક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કેતેમના લગ્ન  થઈ ગયા છે 2 સંતાન છે અને  અમદાવાદ તેમનું સાસરીયુ છે. તેમના માતા પિતા નથી બહેન સુરત મા રહેછે.પરતુ કયા રહે છે તે ખબર ન હતી તેઓ ની યાદદાસ્ત ઓછી હોય તેમ જણાઈ રહ્યું હતુ સુરતમાં કોઈ ઓળખાણ નથી જેથી તેઓ ને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે આ સાથે ફોટા વાળા મહીલાની કોઈ ને જાણકારી મળે તો અભયમ નો સંપર્ક સાધવા વિનંતી જેથી તેઓ ને પરિવાર સુધી પહોંચાડી શકાય.

દેવશી ધૂલિયાનું ભાજપામાંથી રાજીનામું

       જામનગર ભાજપામાં અગાઉ શહેર મંત્રી તરીકે તથા મીડિયા સેલમાં કામ કરી ચૂકેલા દેવશી ધૂલિયાએ પક્ષનાં સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષને રાજીનામાપત્ર મોકલવામાં આવ્યો છે અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચાને આ પત્રની નકલ મોકલવામાં આવી છે. તેઓએ રાજીનામા પાછળ અનિવાર્ય રાજકીય કારણ દર્શાવ્યું છે.

જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

     રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા  સાંઈ વિદ્યાલય, જોડિયા ખાતે તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવયા હતા તેમજ તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત કાયદાની જાણકારી આપી વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન અપાયુ હતું. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ વ્યસન મુક્તિ અંગેના શપથ લીધા હતાં.  

મોટી બાણુગાર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

      મોટી બાણુગાર તાલુકા પ્રાથમિક શાળા ખાતે નેશનલ ગેમ્સ-૨૦૨૨ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી. તેમજ શાળામાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સરપંચ અજયભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ, શાળાના આચાર્ય કાનાણીભાઈ તથા શાળાનો સ્ટાફ, માધ્યમિક સ્કુલના આચાર્ય ભાલોડીયાભાઈ,પી.એચ.સી.સુપરવાઈઝર સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ગેમ્સ અવેરનેસ અંગેના શપથ લીધા હતા.

આઈ.ટી.આઈ.માં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

          વડાપ્રધાનના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને શુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર  સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર  રાજેશભાઈ ચાંગાણી, આઈ.ટી.આઈ.નાં આચાર્ય  એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય  ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તા...