જામનગર સહિત રાજ્યભરમાં હજારો એસટી કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભે વધુ એક વખત આંદોલનનો પ્રારંભ કર્યો છે. સોમવારે એસટી સંકુલ બહાર કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર કર્યો હતો. આગામી શુક્રવારે કર્મચારીઓ સામૂહિક રજા પર જતાં રહેશે. તેથી એસટી બસનાં પૈડાં થંભી જશે.
જામનગર સહિત રાજ્યભરમાં આ આંદોલન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન ( મજૂર મહાજન), રાજય એસટી કર્મચારી મહામંડળ ( ઈનટુક) તથા ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ ( બીએમએસ) નાં નેજા હેઠળ ચાલી રહ્યું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો