મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 9, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બાળકો માટે ચિત્રસ્પર્ધા

     રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા રમતગમ્મત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત ચિત્ર સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે.      આ ચિત્ર સ્પર્ધાનો વિષય છે પ્લે એટ હોમ સ્પર્ધકોએ સ્૪ સાઇઝના (૮.૩"  x ૧૧.૭") કાગળ પર કૃતિ પોતાના ઘરે તૈયાર કરી, માઉન્ટીંગ કરાવી તારીખ ૨૩ નવેમ્બર થી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમ્મત અધિકારી કચેરીએ પહોંચાડવાની રહેશે. કૃતિની પાછળ કૃતિ બનાવનારની તમામ વિગતો લખવાની રહેશે.      બાદમાં જામનગર શહેર-ગ્રામ્યમાંથી ૩-૩ ચિત્રો પસંદગી કરી જિલ્લા તથા રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધા ૧૯ ડિસેમ્બરે છે. ૩૦ બેસ્ટ ચિત્રોના સ્પર્ધકો રાજ્યકક્ષાએ સ્થળ પર ચિત્રો બનાવશે જે પૈકી ૧૦ વિજેતાચિત્રોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતિય વિજેતાને રૂપિયા ૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકી અન્ય સાત વિજેતાઓને રૂપિયા ૫૦૦૦ (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.      વધુ વિગતો મ...

BAMS અભ્યાસક્રમમાં પ્રવેશ

     ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા B.A.M.S.. અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઇ છે. લઘુતમ શૈક્ષનિક લાયકાત ન ધરાવતા છાત્રોને મેનેજમેન્ટ, વેકેટ કવોટામાં પ્રવેશ મળશે પરંતુ તેમનું એનરોલમેન્ટ યુનિવર્સિટીમાં થશે નહી જેની તમામ સંબંધિત વાલીઓ/વિદ્યાર્થીઓ તથા સંબંધિત સંસ્થાને નોંધ લેવી.      કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ગેરકાયદે આ પ્રકારના એડમિશન આપે છે. જે છાત્રની કારકિર્દી માટે જોખમરૂ પૂરવાર થઇ શકે. જેની નોંધ સમગ્ર વિદ્યાર્થીઓ-વાલીસમાજ લેવી.

NCC દ્વારા કેડેટ પસંદગી શિબિર

     દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા જામનગરમાં NCC કેડેટસની પસંદગી માટે શિબિર છે. પસંદગી સત્ય સાંઇ વિદ્યાલયમાં થશે. ૨૭ નવેમ્બર થી શિબિર શરૂ થશે. જેમાં જામનગર સહિતના જિલ્લાઓના ૫૦ કેડેટસ જોડાયા છે. તેમાં આર્મી-નેવી વિંગના કેડેટસ પણ છે. NCC હેડકવાર્ટર દ્વારા આ સમગ્ર પ્રક્રિયા સત્ય સાંઇ વિદ્યલાયમાં રાખવામાં આવી છે. રાજવી પરિવાર દ્વારા સમગ્ર મેનેજમેન્ટ સંભાળવામાં આવે છે.      ગુજરાત નેવલ યુનિટના એસોસિએટસ NCC ઓફિસર (થર્ડ ઓફિસર) તોરલ ઝવેરી દ્વારા આ તમામ વિગતો મીડિયામાં પ્રચારાર્થે મોકલવામાં આવી છે.

સંક્ષિપ્ત સમાચાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન: અમદાવાદને દેશનો મોડેલ જિલ્લો બનાવવો જોઇએ. નોટબંધીના ૪ વર્ષ પૂર્ણ: કોઇએ વખાણી, કોઇએ વખોડી: પરિણામો સૌને ખબર છે. દેશમાં કોરોના રસી સામાન્ય લોકો સુધી ૨૦૨૨ સુધીમાં પહોંચશે. બાઇડનની ટીમમાં ભારતીયો તરીકે ડો. વિવેક મૂર્તિ, રાજ ચેટ્ટી, અમિશ જાની, વિનય રેડી, ગૌતમ રાઘવન, સોનલ શાહ, સબરિનાસિંહ, વનિતા ગુપ્તા પૈકી કોઇનો સમાવેશ થઇ શકે છે. ફરી કોરોના થવાના દેશમાં સૌથી વધુ ૯ કેસ અમદાવાદમાં. કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મૂફતીનું વિવાસ્પદ નિવેદન: કાશ્મીરીઓ પાસે નોકરી નથી, આ સંજોગો હથિયાર ઉપાડવા સિવાય બીજો વિકલ્પ નથી.