મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકો માટે ચિત્રસ્પર્ધા

    રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા રમતગમ્મત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત ચિત્ર સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે.

    આ ચિત્ર સ્પર્ધાનો વિષય છે પ્લે એટ હોમ સ્પર્ધકોએ સ્૪ સાઇઝના (૮.૩" x ૧૧.૭") કાગળ પર કૃતિ પોતાના ઘરે તૈયાર કરી, માઉન્ટીંગ કરાવી તારીખ ૨૩ નવેમ્બર થી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમ્મત અધિકારી કચેરીએ પહોંચાડવાની રહેશે. કૃતિની પાછળ કૃતિ બનાવનારની તમામ વિગતો લખવાની રહેશે.

    બાદમાં જામનગર શહેર-ગ્રામ્યમાંથી ૩-૩ ચિત્રો પસંદગી કરી જિલ્લા તથા રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધા ૧૯ ડિસેમ્બરે છે. ૩૦ બેસ્ટ ચિત્રોના સ્પર્ધકો રાજ્યકક્ષાએ સ્થળ પર ચિત્રો બનાવશે જે પૈકી ૧૦ વિજેતાચિત્રોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતિય વિજેતાને રૂપિયા ૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકી અન્ય સાત વિજેતાઓને રૂપિયા ૫૦૦૦ (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.

    વધુ વિગતો માટે જિલ્લા રમતગમ્મત કચેરી, જિલ્લા સેવાસદન ૪, રૂમ નંબર ૪૨, રાજપાર્ક, ગુલાબનગર રોડનો સંપર્ક સાંધવો. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...