મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકો માટે ચિત્રસ્પર્ધા

    રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા રમતગમ્મત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત ચિત્ર સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે.

    આ ચિત્ર સ્પર્ધાનો વિષય છે પ્લે એટ હોમ સ્પર્ધકોએ સ્૪ સાઇઝના (૮.૩" x ૧૧.૭") કાગળ પર કૃતિ પોતાના ઘરે તૈયાર કરી, માઉન્ટીંગ કરાવી તારીખ ૨૩ નવેમ્બર થી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમ્મત અધિકારી કચેરીએ પહોંચાડવાની રહેશે. કૃતિની પાછળ કૃતિ બનાવનારની તમામ વિગતો લખવાની રહેશે.

    બાદમાં જામનગર શહેર-ગ્રામ્યમાંથી ૩-૩ ચિત્રો પસંદગી કરી જિલ્લા તથા રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધા ૧૯ ડિસેમ્બરે છે. ૩૦ બેસ્ટ ચિત્રોના સ્પર્ધકો રાજ્યકક્ષાએ સ્થળ પર ચિત્રો બનાવશે જે પૈકી ૧૦ વિજેતાચિત્રોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતિય વિજેતાને રૂપિયા ૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકી અન્ય સાત વિજેતાઓને રૂપિયા ૫૦૦૦ (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.

    વધુ વિગતો માટે જિલ્લા રમતગમ્મત કચેરી, જિલ્લા સેવાસદન ૪, રૂમ નંબર ૪૨, રાજપાર્ક, ગુલાબનગર રોડનો સંપર્ક સાંધવો. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...