મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 1, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગર કલેકટર દ્વારા બુધવારે સાંજે શહેર-જિલ્લામાં વધુ ૭૨ કન્ટેમેન્ટ એરિયા (ઘર) જાહેર કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ, ફીટનેસ, પરમિટ, આર.સી. વગેરેની વેલિડીટી ૩૧-૧૨-૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. જેમાં શિખાઉ લાયસન્સનો સમાવેશ થતો નથી પંજાબ સરકાર બાર, મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટની લાયસન્સ ફી માફ કરી: ત્રિમાસિક અંદાજિત ફી પણ માફ કરવામાં આવી અયોધ્યા કેસમાં નિર્દોષ છૂટેલાં જય ભગવાન ગોયલે કયું: બાબરી મસ્જિદનો ગુંબજ એજન્ડા મુજબ જ તોડી પડાયો, અચાનક કાંઇ બન્યું ન હતુંં ઉતરપ્રદેસ હાથરસની ઘટના બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ: પિડીતાનું મોત આપીએલ: ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનું ફીંડલુ: કોલકતા નાઇટ રાઇડર્સનો ૩૭ રને વિજય: જોફ્રા આર્ચરની શાનદાર બોલિંગ, ૧૮ રનમાં ૨ મહત્વની વિકેટ: ઓપનિંગ બેટસમેન તથા કેપ્ટનની વિકેટ ઝડપી ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેન રજત શર્માએ કહ્યું: જે ચેનલ્સ નફરત ફેલાવતી હોય તે ચેનલ્સ પર જાહેરાતો આપવા અંગે કંપનીઓએ વિચારવું જોઇએ: ઘણી ચેનલ્સ મર્યાદાઓ બહોળી નફરત ફેલાવે છે કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકિસ્તાનના ગોળબારમાં ત્રણ જવાન શહીદ: પાંચને ઇજા: ભારતે પણ વળતો જવાબ આપી ફાયરીંગ કય...

બાયોડીઝલ પંપો પર દરોડા

       રાજ્ય સરકારની જાહેરાત બાદ જામનગર જિલ્લામાં બાયોડીઝલના પંપો પર દરોડા પાડવામાં આવ્યા છે. જિલ્લા પૂરવઠા અધિકારી મકવાણાના માર્ગદર્શન પ્રમાણે જામનગર તથા લાલપુર તાલુકાના ૩-૩ મળી કુલ ૬ પંપ પર દરોડા પાડી ૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે. બે તાલુકાના કુલ પાંચ પંપ સીલ કરવામાં આવ્યા.

પાલક માતા-પિતા યોજના

     રાજ્યમાં ૦ થી ૧૮ વર્ષના અનાથ-નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના છે. માતા-પિતા બને મૃૃત્યુ પામ્યા હોય તેવા બાળક માટે દર મહિને રૂા. ૩૦૦૦ ની સહાય આપવામાં આવે છે. માતાએ પતિના મૃત્યુ બાદ ફરી લગ્ન કર્યા હોય તે મહિલા પણ પોતાના બાળકને માટે આ લાભ મેળવી શકે. બાળક જ્યાં સુધી ભણતુ હશે ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળશે. વધુ માહિતી માટે જિલ્લા બાળસુરક્ષા કચેરી, સેવાસદન ૪ નો ફોનં નંબર ૦૨૮૮-૨૫૭૧૦૯૮ નો સંપર્ક કરવો.  

જામનગર વેટ વિભાગનો એકસ-રે

       તા. ૦૩-૦૩-૨૦૨૦ ની સ્થિતિએ જામનગરની વેટ (વેલ્યુ એડેડ ટેકસ) કચેરીમાં ગુજરાત એસટી ના ૩૩૭ કેસ, સેન્ટ્રલ એસટી નાં ૮૪૩ કેસ તથા વેટના ૧૪૪૫ કેસ મળી કુલ ૨૬૨૫ કેસ પેન્ડીંગ છે.      ગુજરાત સેલ્સટેકસની રૂા. ૧૦૭.૦૯ કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. ૩૨૩.૮૧ કરોડની તથા વેટની રૂા. ૧૮૧૦.૫૫ કરોડની રિકવરી ૩૧ માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. ૨૨૪૧.૪૫ કરોડ છે.      આ રિકવરી પૈકી ૭૭ કેસ (રૂા.૧૩૮૮.૪૧ કરોડ) એવાં છે જેમાં ટ્રીબ્યૂનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટે સ્ટે આપેલાં છે. કુલ ૧૪૪ કેસ (રૂા.૧૧૧.૫૦ કરોડ) એવા છે.જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય. ૮૯૦ કેસ (રૂા.૨૬૯.૪૫ કરોડ) એવા છે જેમાં કયારેય રિકવરી થઇ શકે એમ જ નથી.      ૨૦૨૦ ના માર્ચ મહિનામાં જામનગરના વેટ (વેલ્યુ એડેડ ટેકસ) વિભાગે એક પણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

પરપ્રાંતિય યુવકયુવતીની આત્મહત્યા

       રણજિતસાગર રોડ પર આવેલ ર્કિતી પાન પાછળ નજીક નદીના કાંઠે એક યુગલે સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ગળાફાંસો ખાનાર મધ્યપ્રદેશનો વતની અનિલ ધૂલિયાભાઇ (ઉં.૨૧) તથા કમાબેન ગુડુભાઇ ભૂરિયાએ સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ બંને કૌટુંબિક પિતરાઇ ભાઇ બહેન હોવાની તથા પ્રેમપ્રકરણના કારણે આ પગલું ભર્યાની ચર્ચા.      ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલી. આપઘાતનો બનાવ હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. સિટી એ ડિવીઝન પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વિગતો મેળવી હતી. પોલીસે આ બંનેના મૃતદેહ નીચે ઉતારી બોડીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે જી.જી. હોસ્પિટલ મોકલી આપી છે. આ આત્મહત્યા છે ક ેહત્યા તે તપાસ પોલીસ કરી રહી છે.

અનલોક-૫ ની ગાઇડલાઇન્સ

     કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલોક-૫ દરમ્યાન થિયેટર, મલ્ટીપ્લેકસ ૫૦ ટકા બેઠકો સાથે શરૂ, જે ૧૫ ઓકટોબરથી શરૂ થઇ શકશે. આ ઉપરાંત સ્વિમિંગ પુલ ખેલાડીઓની ટ્રેનિંગ માટે ખૂલી શકશે. ૧૫ ઓકટરોબર બાદ સ્કૂલ-કોચિંગ કલાસ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. તે માટે માતા-પિતાની મંજૂરી મેળવવાની રહેશે. સંક્રમણથી બચવાના ઉપાયો સાયે નવરાત્રિ તથા દશેરા જેવા તહેવારો મનાવી શકાશે.