મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 14, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આઝાદીનાં અમૃત મહોત્સવની વેળાએ.... (સંજય આઝાદ)

    આઝાદી-સ્વતંત્રતા આપણને, ભારતીયોને, મફતમાં નથી મળી. આઝાદી પછી જન્મેલાં કરોડો લોકો આદાઝીનું ખરૂં મહત્વ સમજતાં નથી! સ્વતંત્રતા માટે ભારત સહિત વિશ્વનાં સંખ્યાબંધ રાષ્ટ્રોમાં કરોડો માનવો જીવતાં "આગ" મા કૂદયા છે! પોતે દાઝયા છે! સળગ્યા છે! જીવતાં ભડથું થયાં છે. શહીદ થયાં છે. રાષ્ટ્ર માટે જીવ, જિંદગી, સ્વજનો, લાગણી, મોહ-સ્વની ખુશી, બધું જ ન્યોછાવર કર્યું છે. પોતાના પ્રાણોની આહૂતિ આપી છે. તબ જાકે હમ આઝાદ હૂએ હૈ. આજે આપણે લોકશાહીનાં મુકત વાતાવરણમાં શ્વાસ લઇ શકીએ છીએ, તે લાખ્ખો દેશવાસીઓની "શહાદત" ને આભારી છે. નહીંતર, કદાચ, આજે પણ આપણે કેડેથી વાંકા વળી, અદબ વાળી, નજર નીચે ઝૂકાવી, વિદેશી શાસકો સમક્ષ રૈયત બની ઉભાં હોત. આઝાદી અમૂલ્ય ચીજ છે, અમૃત મહોત્સવની વેળાએ, આપણે સૌ આ યાદ રાખીએ.      નવલોહીયા યુવક-યુવતીઓ લાખ્ખો દેશ, બાંધવો, ભગિનીઓ, વડીલોએ આપણી "આઝાદ" જિંદગી માટે પોતાની જિંદગીને હસતે મોંએ, સામી છાતીએ મોતની ચાદર ઓઢાડી છે. આ આઝાદ, મહામૂલી આઝાદીનું આપણે સૌ જીવની માફક જતન કરીએ. આપણાં શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને એ સૌને ઘરમાંથી પ્રોત્સાહન આપનાર કરોડો દેશવાસીઓનાં આપણે...

માટેલચોકમાંથી આઠ જૂગારીઓ ઝડપાયાં

    જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે રામેશ્વરનગર વિસ્તારમાં માટેલચોક નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારમાં દરોડો પાડી આઠ જૂગારીઓને ઝડપી લીધાં છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કાંટેલિયાની ટીમે પાડેલાં આ દરોડામાં આઠ જૂગારીઓ પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ મહીપતસિંહ જાડેજા,     અજયસિંહ ભગવતસિંહ જાડેજા, મેહુલ હરિશ પંચોલી, યોગીરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જેઠવા અને નિઝામ મામદ સફીયા રૂ. ૩૫,૨૫૦ ની રોકડ સાથે ઝડપાઈ ગયા છે.  

શરાબની ૬૪૮ બોટલ ભરેલો ટ્રક રેઢો મળી આવ્યો

     જામનગર ક્રાઈમ બ્રાન્ચે લાલપુર તાલુકાના નવાગામ તથા પીપળી વચ્ચેનાં માર્ગ પરથી એક રેઢો પડેલો ટ્રક શોધી કાઢ્યો છે જેમાં શરાબની ૬૪૮ બોટલ મળી આવી છે. ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, ટ્રકચાલક હાજર મળી આવ્યો ન હતો. ટ્રકના નંબર જીજે.૧૨.યુ. ૭૪૬૦ છે. પોલીસે કુલ રૂ. ૭,૫૯,૨૦૦ નો ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. એલસીબી પીઆઇ કે કે ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની ટીમે આ કામગીરી કરી હતી. હાલ પોલીસ આ ટ્રક ચાલક અને માલિક તપાસ કરી રહી છે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાયો છે.  

જામનગરમાં પોલીસની તિરંગાયાત્રા

     યોજવામાં આવી હતી. પોલીસ હેડકવાર્ટરથી એસ.પી. પ્રેમસુખડેલુએ પ્રારંભ કરેલી યાત્રા દિગજામ સર્કલ, સમર્પણ સર્કલ, રોઝી પંપ, સાત રસ્તા, પવનચક્કી, ચાંદી બજાર, બેડી ગેઈટ, લાલ બંગલા, ગુરૂદ્વારા, ડીકેવી કોલેજ થઈ ફરી પોલીસ હેડકવાર્ટર પહોંચી હતી. આ તિરંગા રેલીમાં જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ વગેરે જોડાયા હતાં  

એ.કે. દોશી વિદ્યાલય દ્વારા પ્રભાતફેરી તથા તિરંગાયાત્રા

     જામનગરનાં એ.કે.દોશી વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વિભાગોની અંદાજે ૮૦૦ જેટલી છાત્રાઓએ શનિવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રભાતફેરી યોજી હતી. સંસ્થાનાં ચેરમેન ભાનુભાઇ દોશીની આગેવાની હેઠળની આ પ્રભાતફેરી જોગર્સ પાર્ક સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં ઘૂમી હતી. શાળાનાં પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર, ધર્મેશભાઈ વીંછી, કલેરા બેરેટો , જોઈન્ટ સેક્રેટરી અશોક દોશી, સાંસ્કૃતિક મંત્રી વિરેન્દ્ર દોશી વગેરે જોડાયા હતા. આ ઉપરાંત સેનાપતિ એન.એમ.પટેલ, પી.આઈ. પ્રજાપતિ, આર.પી.કમાન્ડર કિશોરસિંહ ઝાલા તથા મેજર એ.વી.જાડેજા વગેરે રાષ્ટ્રધ્વજ સાથેની ફલેગ માર્ચમાં જોડાયા હતાં.  

કૃષિમંત્રીએ વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

    રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાનાં વિવિધ છાત્રાલયોની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ તેમજ વોર્ડ નં-૬ની બહેનોનાના હસ્તે રાખડી બંધાવી રક્ષાબંધનના  પર્વની ઉજવણી કરી હતી. મંત્રીએ  લેઉવા પટેલ કન્યા છાત્રાલય,  એમ.  ડી.મહેતા  કન્યા છાત્રાલય,  આહીર સમાજના કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બંધાવી હતી. મંત્રીએ રક્ષાબંધનના પર્વે ધ્રોલ ખાતે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કરી ગાય માતાને રાખડી બાંધી અને રાજ્યભરમાંથી લમ્પી વાયરસ નાબૂદ થાય એ માટે પ્રાર્થના કરી હતી.     મંત્રીની આ મુલાકાત દરમિયાન  નવલભાઈ મૂંગરા, રસિકભાઈ ભંડેરી,  રીતેશભાઈ, હિરેનભાઈ,  નરેશભાઇ, ભીમજીભાઈ વગરે સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.  

હર ઘર તિરંગા: જામનગરની ૩૦૦થી વધુ મહિલાઓને રોજગારી

     આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ૧૩ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાનએ વિનંતી કરી છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-૧ માં ૩૦૦ જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સરકારની દિન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓ તિરંગા બનાવી આજીવિકા મેળવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ મેલ થઈ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે. તે બદલ જામનગરની મહિલાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.