મુખ્ય સામગ્રી પર જાઓ

એ.કે. દોશી વિદ્યાલય દ્વારા પ્રભાતફેરી તથા તિરંગાયાત્રા


    જામનગરનાં એ.કે.દોશી વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વિભાગોની અંદાજે ૮૦૦ જેટલી છાત્રાઓએ શનિવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રભાતફેરી યોજી હતી. સંસ્થાનાં ચેરમેન ભાનુભાઇ દોશીની આગેવાની હેઠળની આ પ્રભાતફેરી જોગર્સ પાર્ક સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં ઘૂમી હતી. શાળાનાં પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેર, ધર્મેશભાઈ વીંછી, કલેરા બેરેટો , જોઈન્ટ સેક્રેટરી અશોક દોશી, સાંસ્કૃતિક મંત્રી વિરેન્દ્ર દોશી વગેરે જોડાયા હતા. આ ઉપરાંત સેનાપતિ એન.એમ.પટેલ, પી.આઈ. પ્રજાપતિ, આર.પી.કમાન્ડર કિશોરસિંહ ઝાલા તથા મેજર એ.વી.જાડેજા વગેરે રાષ્ટ્રધ્વજ સાથેની ફલેગ માર્ચમાં જોડાયા હતાં.


 

ટિપ્પણીઓ