મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 23, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સાંસદ પૂનમબેન માડમ શિવભજન તથા ઢોલના નાદે મહિલાઓ સાથે ગરબે રમ્યા

     જામનગર થી 30 કિ.મી દૂર આવેલ ગજણા ગામમાં  ભોળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો જામનગર થી પદયાત્રા કરીને જાય છે.      શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને જામનગર થી ભોલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા હતા  ત્યારે  શિવભક્તો પદયાત્રા કરીને જતા હોય છે તે દરમિયાન સેવાકીય કેમ્પ યોજવામાં આવે છે જ્યારે દર સોમવારે ભવ્ય કેમ્પ યોજવામાં આવે છે .  સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા ત્યાં બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો તેમ જ પદયાત્રીઓ જતા હતા ત્યારે કેમ્પમાં મહિલાઓ સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ શિવમયી વાતાવરણમાં ગરબે રમ્યા હતા. જામનગર થી ભોળેશ્વર જતા સમગ્ર રસ્તે પણ શિવ ભજન અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.      શિવભક્તો દ્વારા પ્રસાદ માં ફરાળ , ડ્રાયફુટ અને નાસ્તાની વ્યવસ્થા ક...

મહાદેવ મંદિરે લીલાં શાકભાજીનો શણગાર તથા કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રી પૂજા કરવામાં આવી

     જામનગરમાં ગોકુલ નઞર રડારરોડ પર આવેલાં મુરલીધરનઞર વિસ્તારમાં બિરાજમાન શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે કાલે શ્રાવણના છેલ્લા સોમવારે લીલાં શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રશાંતભાઇ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.      પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હાલાર ના શિવ મંદિરોમાં ભકતોની ભીડ ઉમટે છે. ખાસ કરીને જામનગર શહેર દરબાગઢ બહાર આવેલા ગુજરાતીવાડ નજીક આવેલા ૮૦૦ વર્ષો જૂના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર ખૂબ પ્રખ્યાત છે. અને ત્યાં શિવભકતો ‘હર હર મહાદેવ..' નો નાદ લગાવે છે.      કાશી વિશ્વનાથ મંદિરમાં લોકોની શ્રદ્ધા છે. વિદેશીઓ અને આજુબાજુના શ્રદ્ધાળુઓ પણ કાશી વિશ્વનાથ ને નમન કરે છે.જ્યારે શ્રાવણ માસ ના છેલ્લાં સોમવારે કાલે જામનગર ના ત્રિમૂર્તિ ગ્રુપ દ્વારા ૧૦૦૮ બીલી પત્રો સાથે રૂદ્રી પૂજા કરવામાં આવી હતી. આ રૂદ્રી પૂજા ત્રિમૂર્તિ ગ્રુપ ના કેલવિન વડનગરા, ધવલ પારેખ, ભૌતિક પટેલ, પાર્થ મહેતા અને ભૌમિક સોની દ્વારા કરવામાં આવી હતી.  

કતલખાનાઓ બંધ રાખવા અનુરોધ

     જામનગર મહાનગરપાલિકાએ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત તમામ કતલખાનાઓનાં સંચાલકોને અનુરોધ કર્યો છે કે, તા. ૨૪/૮ થી તા. ૩૧/૮ સુધી જૈનોનું પર્યુષણ પર્વ હોય, આ દિવસો દરમિયાન સર્વે કતલખાનાઓ બંધ રાખવામાં આવે.  

જામનગરમાં શ્રાવણી લોકમેળા દરમિયાન ફૂડ સેફ્ટી શાખાની કામગીરી

     જામનગરમાં શ્રાવણી લોકમેળા દરમિયાન કોર્પોરેશનની ફૂડ સેફ્ટી શાખા દ્વારા વિવિધ સ્થળોએ કેટલીક કામગીરી કરવામાં આવી હતી અને અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ફૂડ શાખાએ ૧૩૦ કિલો બાફેલાં વાસી બટેટા,વાસી બાફેલાં ચણા, વાસી રગડો, વાસી દાળ તથા પાણીપુરીનું અખાદ્ય પાણી વગેરે ચીજોનો નાશ કર્યો હતો.      આ ઉપરાંત ૬૫ ધંધાર્થીઓને મેળામાં સ્થળ ઉપર ફૂડ માટેનાં હંગામી પરવાના આપવામાં આવ્યા હતાં અને તેઓ પાસેથી રૂ. ૬,૫૦૦ ની કાયદેસરની ફી વસૂલાત કરવામાં આવી હતી.      આ ઉપરાંત શહેરના ગોકુલનગર વિસ્તારમાં આઠ જેટલા મીઠાઈ તથા ફરસાણ નાં ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ અયોગ્ય તેલનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું તેથી આવાં તેલનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે આ સ્થળોએ અખાદ્ય ફરસાણ મળી આવતાં ૧૦ કિલો ફરસાણ તથા ૨૫ કિલો અયોગ્ય તેલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.  

ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત લેતા વોટર વર્કસ વિભાગના પી.સી. બોખાણી

       જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંડર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર p.c. બોખાણી  દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી.      જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી દ્વારા શહેરીજનોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ ફિલ્ટર પ્લાન્ટ 162 લાખ લીટર ની કેપેસીટી ધરાવતો અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ છે આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય વોટર વર્કસ વિભાગના અધિકારી  પી.સી. બોખાણી દ્વારા આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરીમાં સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સમગ્ર શહેરને શુદ્ધ અને પીવાલાયક પાણી નિયમિત રીતે મળી રહે તે માટે અહીં અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી ચાલી રહી છે.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

     રાજ્ય સરકાર દ્વારા ૨૧ ઓગસ્ટ થી ચાર રવિવાર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં   આવ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તારીખ ૨૧ ઓગસ્ટ ને રવિવારથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા નોંધણી કાર્યક્રમ-૨૦૨૨ નો પ્રારંભ કરાવ્યો છે. જે આગામી ૨૮ ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર, અને ૧૧ સપ્ટેમ્બર ના રવિવારના દિવસો દરમિયાન  ચાલુ રહેશે.      આ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન  ૧.૧૦.૨૦૨૨  ની સ્થિતિ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોએ પોતાના મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અથવા તો સુધારણા કરાવવાની ઝુંબેશમાં જોડાઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓના જે તે વિસ્તારના મતદાન મથક પર  બી.એલ .ઓ. સમક્ષ સવારે  ૧૦.૦૦  વાગ્યાથી સાંજે  ૫.૦૦  વાગ્યા સુધીમાં પોતાના નવા નામો નોંધાવી શકશે, જ્યારે પોતાના નામોમાં સુધારો કરાવી શકશે.      ઉપરોક્ત ઝુંબેશ દરમિયાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરાવવા માંગતા નાગરિકોએ ૬ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે, જ્યારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નંબર ૬ (બી) ભરવાન...

દાંડિયા ક્લાસ સંચાલકની આત્મહત્યાથી અરેરાટી

    જામનગરમાં સ્વામીનારાયણ નગરમાં રહેતાં અને કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરી ખાતે રૂદ્ર દાંડિયા ક્લાસ ચલાવતા નિરવ અગ્રાવત નામનાં ૩૬ વર્ષનાં યુવાને કાલે સોમવારે બપોરે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થતાં સમગ્ર શહેરમાં યુવાવર્ગ માં ચકચાર મચી ગઈ હતી. આપઘાત પાછળ કયું કારણ હતું ? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.  

૬ પુરુષ અને ૩ સ્ત્રીઓ ફ્લેટમાં, જૂગાર રમતાં ઝડપાઈ ગયા

     જામનગર ક્રાઈમ બ્રાન્ચે શહેરનાં દિગ્જામ સર્કલ વિસ્તારમાં એક ફ્લેટ પર દરોડો પાડી કુલ ૯ જૂગારીઓને ઝડપી લીધાં છે.      એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયા અને કાંટેલિયાની ટીમે દિગ્જામ સર્કલ વિસ્તારમાં, દેવપાર્ક સોસાયટીમાં શેરી નં ૧ માં રાહુલ ફોગા ગાગિયાનાં ફ્લેટમાં દરોડો પાડયો હતો. આ દરોડામાં રૂ. ૫૯,૪૯૦ ની રોકડ રકમ, રૂ. ૫૨,૫૦૦ ની કિંમતનાં ૯ નંગ મોબાઈલ અને રૂ. ૫૫,૦૦૦ ની કિંમતનાં ૨ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૬૬,૯૯૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.      આ દરોડામાં રાહુલ ગાગિયા ઉપરાંત બુધા દેવરામ ભટ્ટ, હરિરામ બચુ જોષી, કમલેશ મણિલાલ જોગિયા, સંજય ચુનીલાલ લોઢિયા,  નિલેશ નથુ માળિયા ઉપરાંત રીટાબા મહાવીરસિંહ દિલુભા જાડેજા, શિલ્પા કલ્પેશ જોગિયા તથા દક્ષા ત્રિભોવન અઘેડા નામનાં કુલ ૯ સ્ત્રી પુરુષોની ધરપકડ કરી હતી.