જામનગરમાં ગોકુલ નઞર રડારરોડ પર આવેલાં મુરલીધરનઞર વિસ્તારમાં બિરાજમાન શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે કાલે શ્રાવણના છેલ્લા સોમવારે લીલાં શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રશાંતભાઇ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હાલાર ના શિવ મંદિરોમાં ભકતોની ભીડ ઉમટે છે. ખાસ કરીને જામનગર શહેર દરબાગઢ બહાર આવેલા ગુજરાતીવાડ નજીક આવેલા ૮૦૦ વર્ષો જૂના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર ખૂબ પ્રખ્યાત છે. અને ત્યાં શિવભકતો ‘હર હર મહાદેવ..' નો નાદ લગાવે છે.
કાશી વિશ્વનાથ મંદિરમાં લોકોની શ્રદ્ધા છે. વિદેશીઓ અને આજુબાજુના શ્રદ્ધાળુઓ પણ કાશી વિશ્વનાથ ને નમન કરે છે.જ્યારે શ્રાવણ માસ ના છેલ્લાં સોમવારે કાલે જામનગર ના ત્રિમૂર્તિ ગ્રુપ દ્વારા ૧૦૦૮ બીલી પત્રો સાથે રૂદ્રી પૂજા કરવામાં આવી હતી. આ રૂદ્રી પૂજા ત્રિમૂર્તિ ગ્રુપ ના કેલવિન વડનગરા, ધવલ પારેખ, ભૌતિક પટેલ, પાર્થ મહેતા અને ભૌમિક સોની દ્વારા કરવામાં આવી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો