જામનગરમાં સ્વામીનારાયણ નગરમાં રહેતાં અને કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરી ખાતે રૂદ્ર દાંડિયા ક્લાસ ચલાવતા નિરવ અગ્રાવત નામનાં ૩૬ વર્ષનાં યુવાને કાલે સોમવારે બપોરે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થતાં સમગ્ર શહેરમાં યુવાવર્ગ માં ચકચાર મચી ગઈ હતી. આપઘાત પાછળ કયું કારણ હતું ? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો