મુખ્ય સામગ્રી પર જાઓ

સાંસદ પૂનમબેન માડમ શિવભજન તથા ઢોલના નાદે મહિલાઓ સાથે ગરબે રમ્યા

    જામનગર થી 30 કિ.મી દૂર આવેલ ગજણા ગામમાં  ભોળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો જામનગર થી પદયાત્રા કરીને જાય છે.

    શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને જામનગર થી ભોલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા હતા  ત્યારે  શિવભક્તો પદયાત્રા કરીને જતા હોય છે તે દરમિયાન સેવાકીય કેમ્પ યોજવામાં આવે છે જ્યારે દર સોમવારે ભવ્ય કેમ્પ યોજવામાં આવે છે .  સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા ત્યાં બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો તેમ જ પદયાત્રીઓ જતા હતા ત્યારે કેમ્પમાં મહિલાઓ સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ શિવમયી વાતાવરણમાં ગરબે રમ્યા હતા.
જામનગર થી ભોળેશ્વર જતા સમગ્ર રસ્તે પણ શિવ ભજન અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

    શિવભક્તો દ્વારા પ્રસાદ માં ફરાળ , ડ્રાયફુટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ કેમ્પના આયોજક ભાવેશભાઈ ગાગીયા , બાદશાહ ભાઈ,  પ્રવીણભાઈ કટેશીયા, હિરેનભાઈ કાનાણી, ચમનભાઈ સહિતના આયોજકે તેમજ સ્વયંસેવકો દ્વારા શિવ પદયાત્રીઓ માટે ફરાળ પ્રસાદી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાંસદ પૂનમબેન માડમ વિપક્ષ નેતા આનંદ રાઠોડ સહિતના સામાજિક રાજકીય લોકો પણ  પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યમાં જોડાયા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...