જામનગરમાં શ્રાવણી લોકમેળા દરમિયાન કોર્પોરેશનની ફૂડ સેફ્ટી શાખા દ્વારા વિવિધ સ્થળોએ કેટલીક કામગીરી કરવામાં આવી હતી અને અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમિયાન ફૂડ શાખાએ ૧૩૦ કિલો બાફેલાં વાસી બટેટા,વાસી બાફેલાં ચણા, વાસી રગડો, વાસી દાળ તથા પાણીપુરીનું અખાદ્ય પાણી વગેરે ચીજોનો નાશ કર્યો હતો.
આ ઉપરાંત ૬૫ ધંધાર્થીઓને મેળામાં સ્થળ ઉપર ફૂડ માટેનાં હંગામી પરવાના આપવામાં આવ્યા હતાં અને તેઓ પાસેથી રૂ. ૬,૫૦૦ ની કાયદેસરની ફી વસૂલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના ગોકુલનગર વિસ્તારમાં આઠ જેટલા મીઠાઈ તથા ફરસાણ નાં ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ અયોગ્ય તેલનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું તેથી આવાં તેલનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે આ સ્થળોએ અખાદ્ય ફરસાણ મળી આવતાં ૧૦ કિલો ફરસાણ તથા ૨૫ કિલો અયોગ્ય તેલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો