મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 25, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પ્રસારની ગતિ મંદ પડી છે. શનિવારે ૪૫ નવા પોઝિટીવ કેસ નોંધાયેલા. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના હોસ્પિટલમાં ૨૨૮ કેસ એકટિવ છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. જામનગરના યાર્ડમાં મગફળીના સિઝનનો સૌથી વધુ ભાવ શનિવારે રૂા. ૧૪૩૬ (પ્રતિ મણ) રહ્યો. સરકાર રૂા. ૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદવાની છે. સમર્પણ હોસ્પિટલ, જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે શુક્રવારે રાત્રે એક ડમ્પરની ઠોકરે વિશાળ સાઇનબોર્ડ તૂટી પડયું છે. આ ડમ્પરના નંબર જીએસટી ૧૦ ઝેડ ૯૯૯૫ છે. કહે છે, ડમ્પર એકાએક ખૂલી જતાં આ અકસ્માત સર્જાયો હતો દરેડમાં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં એક બાળમજૂર મળી આવ્યો છે. શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનેદાર રવિ કેશવભાઇ નકુમ વિરૂધ્ધ ફરયિાદ નોંધાવી છે. જામનગરના એસટી ડેપોમાં છેલ્લાં પાંચ દિવસથી શૌચાલયને તાળું છે. વૃધ્ધો અને મહિલાઓ સહિતના હજારો પ્રવાસીઓ પરેશાન છે. સતાવાળાઓ કહે છે, સેફટીનું સમારકામ ચાલુ છે. કોન્ટ્રાકટર પાસે માલસામાનની પૂરતી સુવિધા નથી તેથી કાબ બંધ છે. ગુજરાતમાં ઓનલાઇન વેપાર (ઇ-કોમર્સ)માં તોલમાપ ખાતા દ્વારા દરોડાનો પ્રથમ કેસ: બે ઇ-કોમર્સ કંપની, પ્રોડકટના ૩ ઉત્પાદક સેલર વિરૂધ્ધ ફરિ...

છોટી કાશીમાં ઇશ્વરવિવાહ

     જામનગરના જલાની જાર વિસ્તારમાં ગરબી ચોક ખાતે છેલ્લાં ૩૨૯ વર્ષથી પુરૂષોની ગરબીનું આયોજન થાય છે. શુક્રવારે સાતમા નોરતે રાત્રે અહીં ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવેલું. આ ગરબી માત્ર પુરૂષો માટે છે જ્યાં છંદોબધ્ધ રીતે દર વર્ષે ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ વર્ષના બાળકથી માંડીને ૯૫ વર્ષ સુધીના વૃધ્ધો શિવ-પાર્વતીના વિવાહનું સુંદર દ્રશ્ય ખડુંં કરે છે. દર વર્ષે યોજાતી આ ગરબીમાં વિવિધ વિસ્તારોમાંથી નગરજનો ઇશ્વરવિવાહ નિહાળવા આવતાં હોય છે પણ હાલ કોરોનાની મહામારી હોય, મર્યાદિત સંખ્યામાં નગરજનોએ આ ઇશ્વરવિવાહનો લાભ લીધો હતો. આ વિસ્તારના સ્વયંસેવકો જગદીશ દવે, દિપક ત્રિવેદી, મહિધર શુકલ વગેરે આયોજન કરવામાં આવે છે.