- જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પ્રસારની ગતિ મંદ પડી છે. શનિવારે ૪૫ નવા પોઝિટીવ કેસ નોંધાયેલા. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના હોસ્પિટલમાં ૨૨૮ કેસ એકટિવ છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે.
- જામનગરના યાર્ડમાં મગફળીના સિઝનનો સૌથી વધુ ભાવ શનિવારે રૂા. ૧૪૩૬ (પ્રતિ મણ) રહ્યો. સરકાર રૂા. ૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદવાની છે.
- સમર્પણ હોસ્પિટલ, જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે શુક્રવારે રાત્રે એક ડમ્પરની ઠોકરે વિશાળ સાઇનબોર્ડ તૂટી પડયું છે. આ ડમ્પરના નંબર જીએસટી ૧૦ ઝેડ ૯૯૯૫ છે. કહે છે, ડમ્પર એકાએક ખૂલી જતાં આ અકસ્માત સર્જાયો હતો
- દરેડમાં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં એક બાળમજૂર મળી આવ્યો છે. શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનેદાર રવિ કેશવભાઇ નકુમ વિરૂધ્ધ ફરયિાદ નોંધાવી છે.
- જામનગરના એસટી ડેપોમાં છેલ્લાં પાંચ દિવસથી શૌચાલયને તાળું છે. વૃધ્ધો અને મહિલાઓ સહિતના હજારો પ્રવાસીઓ પરેશાન છે. સતાવાળાઓ કહે છે, સેફટીનું સમારકામ ચાલુ છે. કોન્ટ્રાકટર પાસે માલસામાનની પૂરતી સુવિધા નથી તેથી કાબ બંધ છે.
- ગુજરાતમાં ઓનલાઇન વેપાર (ઇ-કોમર્સ)માં તોલમાપ ખાતા દ્વારા દરોડાનો પ્રથમ કેસ: બે ઇ-કોમર્સ કંપની, પ્રોડકટના ૩ ઉત્પાદક સેલર વિરૂધ્ધ ફરિયાદ માત્ર વેબસાઇટ પરતી જ વિગતો પૂરતી ન લેખાય
- " મો યોજના" તથા " મા વાત્સ્લ્ય" યોજનાને ભારત સરકારની આયુષ્યમાન યોજનામાં મર્જ કરવામાં આવી છે. ત્રણેયમાંથી કોઇ પણ યોજનાના લાભાર્થીને રૂા. પાંચ લાખ સુધીની આરોગ્યસેવાનો લાભ મળશે. ગુજરાતના કુલ ૪ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે
- રામેશ્વરનગર, વિનાયક પાર્ક ખાતે મધુરમ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જૂગારીઓ નરેશ સુમનભાઇ વાણિયા, રાજુ રાજાભાઇ સોલંકી, સરલાબેન નરેશ વાણિયા, મયૂરી દિપકભાઇ જોઇસર તથા નિતાબા કરસનજી સોઢાને ઝડપી લીધાં છે.
- મોહનનગર આવાસમાં પોલીસે જૂગાર પર દરોડો પાડયો હતો. જૂગારીઓ મિલન શાંતિલાલ મહેતા, સાગર હિતેષભાઇ મહેતા, જયેશ હરીલાલ શાહ, સાગર હિતેષભાઇ મહેતા, આશા ધીરજલાલ કોના, મંજૂ પરેશ ફોફરીયા, મનિષા હરેશભાઇ મહેતાને ઝડપી લીધાં છે.
- સોયલ ટોલ નાકે જીએસટી ની સ્કવોડે ટ્રાવેલ્સની એક બસમાંથી બ્રાસનો બિલ વિનાનો જથ્થો ઝડપી લીધો છે. બ્રાસપાર્ટસના વેપારીઓ પાસેથી રૂા. ૧૦ લાખની પેનલ્ટી વસૂલવામાં આવી છે. આ ખાનગી બસ ભા ટ્રાવેલ્સની હતી
- ગુજરાતી ફિલ્મોના ગાયક-સંગીતકાર અને નરેશ કનોડીયાના મોટાભાઇ મહેશ કનોડીયાનું લાંબી બિમારી પછી મૃત્યુ
- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મધાતી હુમલામાં ૩૦ લોકોના મોત: આ આત્મધાતી હુમલામાં ૭૦ લોકો ઘાયલ: મૃત્યું આંક વધવાની સંભાવના: મૃત્યુ પામેલાં ૩૦ લોકોમાં સ્કૂલના બાળકોનો પણ સમાવેશ
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો