મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પ્રસારની ગતિ મંદ પડી છે. શનિવારે ૪૫ નવા પોઝિટીવ કેસ નોંધાયેલા. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના હોસ્પિટલમાં ૨૨૮ કેસ એકટિવ છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે.
  • જામનગરના યાર્ડમાં મગફળીના સિઝનનો સૌથી વધુ ભાવ શનિવારે રૂા. ૧૪૩૬ (પ્રતિ મણ) રહ્યો. સરકાર રૂા. ૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદવાની છે.
  • સમર્પણ હોસ્પિટલ, જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે શુક્રવારે રાત્રે એક ડમ્પરની ઠોકરે વિશાળ સાઇનબોર્ડ તૂટી પડયું છે. આ ડમ્પરના નંબર જીએસટી ૧૦ ઝેડ ૯૯૯૫ છે. કહે છે, ડમ્પર એકાએક ખૂલી જતાં આ અકસ્માત સર્જાયો હતો
  • દરેડમાં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં એક બાળમજૂર મળી આવ્યો છે. શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનેદાર રવિ કેશવભાઇ નકુમ વિરૂધ્ધ ફરયિાદ નોંધાવી છે.
  • જામનગરના એસટી ડેપોમાં છેલ્લાં પાંચ દિવસથી શૌચાલયને તાળું છે. વૃધ્ધો અને મહિલાઓ સહિતના હજારો પ્રવાસીઓ પરેશાન છે. સતાવાળાઓ કહે છે, સેફટીનું સમારકામ ચાલુ છે. કોન્ટ્રાકટર પાસે માલસામાનની પૂરતી સુવિધા નથી તેથી કાબ બંધ છે.
  • ગુજરાતમાં ઓનલાઇન વેપાર (ઇ-કોમર્સ)માં તોલમાપ ખાતા દ્વારા દરોડાનો પ્રથમ કેસ: બે ઇ-કોમર્સ કંપની, પ્રોડકટના ૩ ઉત્પાદક સેલર વિરૂધ્ધ ફરિયાદ માત્ર વેબસાઇટ પરતી જ વિગતો પૂરતી ન લેખાય
  • " મો યોજના" તથા " મા વાત્સ્લ્ય" યોજનાને ભારત સરકારની આયુષ્યમાન યોજનામાં મર્જ કરવામાં આવી છે. ત્રણેયમાંથી કોઇ પણ યોજનાના લાભાર્થીને રૂા. પાંચ લાખ સુધીની આરોગ્યસેવાનો લાભ મળશે. ગુજરાતના કુલ ૪ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે
  • રામેશ્વરનગર, વિનાયક પાર્ક ખાતે મધુરમ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જૂગારીઓ નરેશ સુમનભાઇ વાણિયા, રાજુ રાજાભાઇ સોલંકી, સરલાબેન નરેશ વાણિયા, મયૂરી દિપકભાઇ જોઇસર તથા નિતાબા કરસનજી સોઢાને ઝડપી લીધાં છે.
  • મોહનનગર આવાસમાં પોલીસે જૂગાર પર દરોડો પાડયો હતો. જૂગારીઓ મિલન શાંતિલાલ મહેતા, સાગર હિતેષભાઇ મહેતા, જયેશ હરીલાલ શાહ, સાગર હિતેષભાઇ મહેતા, આશા ધીરજલાલ કોના, મંજૂ પરેશ ફોફરીયા, મનિષા હરેશભાઇ મહેતાને ઝડપી લીધાં છે.
  • સોયલ ટોલ નાકે જીએસટી ની સ્કવોડે ટ્રાવેલ્સની એક બસમાંથી બ્રાસનો બિલ વિનાનો જથ્થો ઝડપી લીધો છે. બ્રાસપાર્ટસના વેપારીઓ પાસેથી રૂા. ૧૦ લાખની પેનલ્ટી વસૂલવામાં આવી છે. આ ખાનગી બસ ભા ટ્રાવેલ્સની હતી
  • ગુજરાતી ફિલ્મોના ગાયક-સંગીતકાર અને નરેશ કનોડીયાના મોટાભાઇ મહેશ કનોડીયાનું લાંબી બિમારી પછી મૃત્યુ
  • અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મધાતી હુમલામાં ૩૦ લોકોના મોત: આ આત્મધાતી હુમલામાં ૭૦ લોકો ઘાયલ: મૃત્યું આંક વધવાની સંભાવના: મૃત્યુ પામેલાં ૩૦ લોકોમાં સ્કૂલના બાળકોનો પણ સમાવેશ




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...