મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 11, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નરાધમ બાપ ઝડપાયો

     જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળા સાથે તેના સગા બાપે દુષ્કર્મ આચર્યુ છે. પોલીસે આ નરાધમ બાપાને પકડી લીધો છે. ચારેક દિવસ પહેલાં આ બનાવ બનેલો. બાળાની માતા બહારગામ ગયેલી ત્યારે આ બનાવ બન્યો હતો એવુ પોલીસે જાહેર કર્યું છે. બાળાએ પોતાની માતાને આ વાત કર્યા પછી માતાએ આ મામલે પોલીસને જાણ કરી હતી.  

સત્ય સાઇ વિદ્યાલયમાં કાર્યક્રમ

       જામનગરના સત્ય સાઇ વિદ્યાલયમાં પાંચ દિવસ માટે એનસીસી કેમ્પ રાખવામાં આવ્યો જેમાં મંગળવારે એનસીસીના ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુરે ઉપસ્થિત રહી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. કેડેટ્સ દ્વારા રજૂ થયેલી પાયલોટિંગ પરેડનું નિરીક્ષણ કયું< હતું. ગ્રુપ કમાન્ડર દ્વારા કેડેટ્સને બિરદાવવામાં આવ્યા હતાં.      આ કાર્યક્રમમાં પૂર્વ એર કોમોડોર એસ.એસ. ત્યાગી, સત્ય સાઇ વિદ્યાલય પ્રિન્સીપાલ, સ્કૂલના ગિરીરાજસિંહ ઝાલા તથા સ્ટાફન ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતાં.

દરબારગઢનો ત્રીજો દરવાજો ફરી ખૂલ્લો કરાવવામાં આવ્યો

     જામનગરમાં દરબારગઢ ખાતે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સરળતા માટે બનાવવામાં આવેલાં ત્રણ દરવાજા પૈકી એક દરવાજો બંધ હતો, જ્યાંની ગંદકી દૂર કરાવી, ત્યાં સિમેન્ટ બ્લોક પથરાવી, એલઇડી લાઇટો લગાવી, સિકયોરીટી ગાર્ડ બેસાડી બિનજરૂરી વાહનોને રોકવા આડશો લગાવી આ દરવાજો કમિશનરની સૂચનાથી ફરી શરૂ કરાવવામાં આવ્યો છે.      આ અંગે વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી દ્વારા કમિશનરને ૯ મી ઓકટોબરના દિને રજૂઆત કરવામાં આવ્યા પછી ૧૦ ઓકટોબરે કોર્પોરેશનની એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી તથા રાજભા ચાવડાની હાજરીમાં સ્ટાફે આ કામગીરી કરી છે.

આયુર્વેદ યુનિવર્સિટીમાં પત્રકાર પરિષદ

     જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની સંસ્થા ઇ(ન્સ્ટટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ટિત્સ્)ને કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા દોઢેક માસ પહેલાં રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો મળ્યો છે. આયુર્વેદના ક્ષેત્રમાં આ દરજ્જો મેળવનારી આ પ્રથમ સંસ્થા છે. આગામી ૧૩ મી એ પ્રધાનમંત્રીના હસ્તે ધન્વંતરિ જયંતિ નિમિતે વર્ચ્યૂઅલી આ દરજ્જો એનાયત કરવામાં આવશે ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જામનગરની મુલાકાતે આવશે.      આ કાર્યક્રમની માહિતી આપવા મંગળવારે યુનિવર્સિટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવેલી. જેમાં વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર દ્વારા તમામ વિગતો આપવામાં આવેલી.

ભાજપાએ મનાવ્યો વિજયોત્સવ

     ગુજરાતની તમામ આઠ બેઠકોની વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થતાં જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા મંગળવારે રાત્રે વિજયોત્સવ મનાવવાાં આવ્યો હતો. શહેર કાર્યાલય ખાતે પક્ષના શહેર-જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ એકમેકના મોઢાં મીઠાં કરાવી ખુશી વ્યકત કરી હતી.      આ તકે નવનિયુકત જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, હસમુખભાઇ હીંડોચા, ચંદ્રેશભાઇ પટેલ, હસમુખભાઇ જેઠવા, પ્રતિભાબેન કનખરા, દિનેશભાઇ પટેલ, ખુમાનસિંહ સરવૈયા, મનહરભાઇ ત્રિવેદી, દિલિપસિંહ ચુડાસમા વગેરે હાજર રહ્યા હતાં.

સંક્ષિપ્ત સમાચાર

                                જામનગર શહેર-જિલ્લામાં વર્ષ ૨૦૨૦ દરમ્યાન કુલ ૨૩૧૩૦ નવા મતદારોની નોંધણી થઇ છે. જો કે વસતિની સાપેક્ષે યુવા મતદારોની નોંધણી ઓછી છે તેથી આગામી તારીખ ૨૨ થી સતત ૪ રવિવાર દરમ્યાન શહેર-જિલ્લામાં શાળા-બૂથ કક્ષાએ મતદારોની નોંધણી વગેરે કામો માટે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. વધુ વિગતો માટે તમારા મતવિસ્તારના બ્લોકલેવલ ઓફિસરનો સંપર્ક સાધવો. જામનગરની શિક્ષણ સમિતિના ચોથા વર્ગના (ચોકીદાર-કમ-પટાવાળા) ૧૮ કર્મીઓને બે વર્ષથી યુનિફોર્મ, પેન્શન, બોનસ, એલટીસી તથા અન્ય લાભો મળતાં નથી. આ અંગે વારંવારની રજૂઆત છતાં સમિતિ કે કોર્પોરેશન ધ્યાન આપતાં નથી. વધુ એક વખત આ કર્મીઓએ આવેદન દ્વારા આંદોલનની ચિમકી આપી છે. જામનગરની સંસ્થા પારસધામના ઉપક્રમે જી.જી. હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ સહિત કુલ ૧૦૨૪ લાભાર્થીઓને નિ:શુલ્ક મિઠાઇનું વિતરણ કરવામાં આવેલું. આ ઉપરાંત હાપા વિસ્તારમાં ૧૦૦ જેટલાં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ દુષ્યંત દવે ...