જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળા સાથે તેના સગા બાપે દુષ્કર્મ આચર્યુ છે. પોલીસે આ નરાધમ બાપાને પકડી લીધો છે. ચારેક દિવસ પહેલાં આ બનાવ બનેલો. બાળાની માતા બહારગામ ગયેલી ત્યારે આ બનાવ બન્યો હતો એવુ પોલીસે જાહેર કર્યું છે. બાળાએ પોતાની માતાને આ વાત કર્યા પછી માતાએ આ મામલે પોલીસને જાણ કરી હતી.